પ્રાંતિજ ખાતે શ્રી માલ્કડેશ્વર મહાદેવ દાદાની નિકળી નગરયાત્રા
મહાશિવરાત્રી પર્વને લઇને જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકામાં આવેલ શિવમંદિરોમાં સવારથીજ શીવભકતોની ભીડ જોવાં મળી હતી ને હર હર મહાદેવ , ઓમ નમશિવાયના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા હતા તો શ્રી માલ્કેશ્વર મહાદેવ દાદાની દરવર્ષની જેમ આવર્ષે પણ દાદાની ધામધૂમથી નગરયાત્રા નિકળી હતી.
પ્રાંતિજ સહિત તાલુકામાં સવારથીજ શિવમંદિરો શિવભકતો થી ઉભરાયા હતાં તો પ્રાચીન મંદિર શ્રી માલ્કડેશ્વર મહાદેવ દાદાની વર્ષો થી ચાલી આવતી પરમપરા મુજબ શિવરાત્રીના દિવસે દાદા ની નગરયાત્રા નિકળી હતી અને શ્રી માલ્કેશ્વર મહાદેવ મંદિર થી પ્રાંતિજ બજાર વિસ્તારમાં આવેલ શ્રી હરીહરેશશ્વર મહાદેવ , શ્રી જબરેશ્વર મહાદેવ ,શ્રી કાશીવિશ્વનાથ મહાદેવ મંદિર સહિત શિવમંદિરોમાં જઇ શિવ ભક્તોના ધરે-ધરે દાદાએ પધરામણી કરી હતી તો શિવભકતો દ્વારા દાદાની ધરે પધરામણી કરાવી ને આરતી ઉતારીને ધન્યતા અનુભવી હતી તો પ્રાંતિજ સહિત તાલુકામાં આવેલ શિવમંદરોમાં ભકતોનીભીંડ જોવા મળીહતી અને ઓમ નમશિવાય, હર હર મહાદેવ સહિત ના નાદ થી શિવાલયો ગુંજી ઉઠ્યા હતાં તો શિવમંદિરોમાં યજ્ઞો સહિત ના દિવસ દરમ્યાન વિવિધ કાર્યક્રમો પણ યોજાયા હતાં .