CoronaNational

દેશમાં છેલ્લા 24 કલાકમાં 3.48 લાખ નવા દર્દીઓ મળ્યા અને 3.55 લાખ સાજા થયા

દેશમાં કોરોનાના નવા કેસમાં ફરી વધારો થયો છે, જોકે રાહતના સમાચાર એ છે કે સતત બીજા દિવસે નવા સંક્રમિતથી વધુ દર્દીઓ સાજા થયા છે. મંગળવારે 3 લાખ 48 હજાર 389 સંક્રમિતોની ઓળખ થઈ અને 3 લાખ 55 હજાર 256 લોકો સાજા થઈ ગયા. આ પહેલા સોમવારે 3 લાખ 29 હજાર 491 કેસ આવ્યા હતા અને 3 લાખ 55 હજાર 930 દર્દીઓ સાજા થયા હતા.
મૃત્યુના આંકડા પણ ચિંતા વધારનારા છે. છેલ્લા 24 કલાકમાં 4198 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ આંકડો ત્રીજી વખત 4 હજારને વટાવી ગયો છે. આ પહેલા 7 મેના રોજ 4,233 અને 8 મેના રોજ 4092 લોકોએ મહામારીથી જીવ ગુમાવ્યો હતો. છેલ્લા બે દિવસમાં એક્ટિવ કેસ પણ લગભગ 42 હજાર ઘટ્યા છે. 9 મેએ સૌથી વધુ 37.41 લાખ દર્દીઓની સારવાર ચાલી રહી હતી. હવે આ આંકડો ઘટીને 36.99 લાખ થયો છે.

દેશમાં કોરોના મહામારી આંકડામાં

છેલ્લા 24 કલાકમાં કુલ નવા કેસ આવ્યાઃ 3.48 લાખ

છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુઃ 4,198

છેલ્લા 24 કલાકમાં કુલ સાજા થયાઃ 3.55 લાખ

અત્યાર સુધીમાં કુલ સંક્રમિતઃ 2.33 કરોડ

અત્યાર સુધીમાં સાજા થયાઃ 1.93 કરોડ

અત્યાર સુધીમાં કુલ મૃત્યુઃ 2.54 લાખ

હાલ સારવાર કરાવી રહેલા દર્દીઓની કુલ સંખ્યાઃ 36.99 લાખ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button