World

અનવર-ઉલ-હક હશે પાકિસ્તાનના 8માં વચગાળાના પ્રધાનમંત્રી, શહબાઝ શરીફ અને રાજા રિયાઝની સહમતિ બાદ નિર્ણય 

 પાકિસ્તાનમાં અનવર-ઉલ-હક કક્કરને કાર્યવાહક પ્રધાનમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. નેશનલ એસેમ્બલીમાં વિપક્ષના નેતા રાજા રિયાઝે કહ્યું કે, અનવર-ઉલ-હક કાકર પાકિસ્તાનના વચગાળાના વડા પ્રધાન તરીકે ચૂંટાયા છે. પીએમઓ દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝ અનુસાર, પીએમ શાહબાઝ અને નેશનલ એસેમ્બલીમાં વિપક્ષના આઉટગોઇંગ નેતા રાજા રિયાઝે રાષ્ટ્રપતિ અલ્વીને કાર્યપાલક વડાપ્રધાન તરીકે અનવર ઉલ હકની નિમણૂક અંગે સલાહ કરી છે.

તમને જણાવી દઈએ કે 9 ઓગસ્ટના રોજ સંસદ ભંગ કરવાની સાથે જ વડાપ્રધાન શાહબાઝ શરીફનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ ગયો હતો. આવી સ્થિતિમાં કાર્યકારી વડાપ્રધાનની ચૂંટણીની આજે છેલ્લી તારીખ હતી. અગાઉ, પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ શહેબાઝ શરીફને પત્ર લખીને શક્ય તેટલી વહેલી તકે નવા કાર્યવાહક વડા પ્રધાનની નિમણૂક કરવા કહ્યું હતું, જેના પર શહેબાઝ શરીફે થોડી નારાજગી પણ દર્શાવી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button