National
કતારના અમીરનું સ્વાગત કરવા માટે PM મોદી એરપોર્ટ પહોંચ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે કતારના અમીર શેખ તમિમ બિન હમાદ અલ-થાનીનું સ્વાગત કરવા માટે ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર વ્યક્તિગત રીતે પહોંચ્યા હતા. કતારના અમીર ૧૭ અને ૧૮ ફેબ્રુઆરીએ ભારતની મુલાકાતે છે. આ દરમિયાન તેઓ પીએમ મોદી સાથે દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓ પર ચર્ચા કરશે. વિદેશ મંત્રાલયે શનિવારે તેમની મુલાકાત અંગે માહિતી આપી હતી.
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ‘તેમની મુલાકાત આપણી વધતી જતી બહુપક્ષીય ભાગીદારીને વધુ વેગ આપશે.’ વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેમની સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ ભારત આવશે, જેમાં મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને એક વ્યાપારી પ્રતિનિધિમંડળનો સમાવેશ થશે.