રક્ષાબંધન પહેલા મળી શકે છે ખુશખબર, RBI ફરી એકવાર રેપો રેટમાં ઘટાડાની કરી શકે છે જાહેરાત

દેશમાં રક્ષાબંધનના તહેવાર પહેલા, ભારતીય રિઝર્વ બેંક ફરી એકવાર વ્યાજ દરોમાં ઘટાડાની ભેટ આપી શકે છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના એક અહેવાલ મુજબ, 4 થી 6 ઓગસ્ટ દરમિયાન યોજાનારી રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિ (MPC) ની બેઠકમાં રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટ (bps) ના ઘટાડાની જાહેરાત કરવામાં આવી શકે છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઓગસ્ટમાં વ્યાજ દરોમાં ઘટાડાને કારણે ક્રેડિટ ગ્રોથમાં વધારો થવાથી ‘દિવાળીની શરૂઆતમાં’ આવી શકે છે કારણ કે નાણાકીય વર્ષ 2026 માં તહેવારોની મોસમ પણ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે.
તેમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, ભૂતકાળના ડેટા જોતાં, એ સ્પષ્ટ છે કે, દિવાળી પહેલા રેપો રેટ ઘટાડવાથી તહેવારોની સિઝનમાં ક્રેડિટ ગ્રોથમાં વધારો થાય છે. તેમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, અમને આશા છે કે, રિઝર્વ બેંક ઓગસ્ટમાં યોજાનારી MPC બેઠકમાં ફરીથી રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરશે.