Mohali: શંભુ અને ખનૌરી બોર્ડર પરથી ખેડૂતોને હટાવી કરાઇ અટકાયત, ટેન્ટ પણ તોડી પડાયા

બુધવારે (19 માર્ચ, 2025) ચંદીગઢમાં કેન્દ્રીય પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરીને પરત ફરી રહેલા સર્વન સિંહ પંઢેર અને જગજીત સિંહ દલ્લેવાલ સહિત ઘણા ખેડૂત નેતાઓને મોહાલીમાં અટકાયતમાં લેવામાં આવ્યા હતા. આ દરમિયાન પંજાબ પોલીસે વિરોધ કરી રહેલા ખેડૂતોને શંભુ અને ખનૌરી બોર્ડર પરથી હટાવવાનું શરૂ કર્યું હતું. પોલીસે વિરોધ કરી રહેલા ખેડૂતોને સ્ટેજ અને તંબુ તોડીને હટાવ્યા હતા. ખેડૂતોના વિરોધને કારણે છેલ્લા એક વર્ષથી સરહદ બંધ હતી.
ખેડૂત આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી
પોલીસે સર્વન સિંહ પંઢેર અને જગજીત સિંહ દલ્લેવાલ સહિત ઘણા ખેડૂત નેતાઓની અટકાયત કરી હતી. ખેડૂત નેતા ગુરમાનીત સિંહ મંગતે કહ્યું, ‘અભિમન્યુ કોહર, કાકા સિંહ કોટરા અને મનજીત સિંહ રાયની પણ અટકાયત કરવામાં આવી છે.
શંભુ બોર્ડર અને ખનૌરી બોર્ડર પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વિરોધ સ્થળ પર એમ્બ્યુલન્સ, બસો, ફાયર બ્રિગેડની ગાડીઓ તૈનાત કરવામાં આવી છે. પટિયાલા રેન્જ ડીઆઈજી મનદીપ સિંહ સંધુના નેતૃત્વમાં લગભગ 3,000 પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.પંજાબના નાણામંત્રી હરપાલ સિંહ ચીમાએ પોલીસની કાર્યવાહીને યોગ્ય ઠેરવી છે. તેમણે કહ્યું, ‘સરહદ બ્લોકને કારણે રાજ્યની અર્થવ્યવસ્થાને ઘણું નુકસાન થઈ રહ્યું હતું. બંને હાઈવે પંજાબની લાઈફલાઈન છે, તેમના બંધ થવાને કારણે ઉદ્યોગ અને ધંધાને ઘણું નુકસાન થયું છે. તેમણે વધુમાં કહ્યું કે, ખેડૂતોએ દિલ્હી જઈને વિરોધ કરવો જોઈએ.
આ પણ વાંચો, Nagpur violence: નાગપુર હિંસામાં મોટો ખુલાસો, માસ્ટર માઈન્ડ ફહીમ શમીમના કહેવા પર ટોળાએ પોલીસ પર કર્યો હુમલો