Nagpur violence: નાગપુર હિંસામાં મોટો ખુલાસો, માસ્ટર માઈન્ડ ફહીમ શમીમના કહેવા પર ટોળાએ પોલીસ પર કર્યો હુમલો

નાગપુરના ગણેશપેઠ પોલીસ સ્ટેશનમાં તોફાનીઓ વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆરમાં આ ઘટનાના માસ્ટરમાઇન્ડનો ખુલાસો થયો છે. એફઆઈઆર મુજબ, માઈનોરિટી ડેમોક્રેટિક પાર્ટી (એમડીપી) ના શહેર પ્રમુખ ફહીમ શમીમ ખાનના નેતૃત્વમાં 50થી 60 લોકોએ પોલીસ સ્ટેશન પર ગેરકાયદેસર રીતે ભીડ એકઠી કરી હતી.
હકીકતમાં, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના લોકોએ ગાંધી ગેટ પાસે છત્રપતિ શિવાજી મહારાજના પૂતળા સામે ઔરંગઝેબની કબર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા વિરોધ પ્રદર્શન કર્યું. અને ઔરંગઝેબના પ્રતીકાત્મક પૂતળાનું દહન કર્યું. જેની વિરુદ્ધમાં ફહીમ શમીમના નેતૃત્વમાં લોકોનું ટોળું એકઠું થયું.
ભીડમાં હાજર લોકોને શાંતિ જાળવવાની સૂચના આપી હતી
આ લોકોના લેખિત નિવેદન પર ઔરંગઝેબનો વિરોધ કરી રહેલા 9 લોકો સામે કલમ 223 IPC હેઠળ FIR નંબર 114/25 નોંધવામાં આવી હતી. આ કેસ ભારતીય દંડ સંહિતાની કલમ 37(1), 37(3) અને 135 હેઠળ નોંધવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન ભીડમાં હાજર લોકોને શાંતિ જાળવવાની સૂચના પણ આપવામાં આવી હતી. આમ છતાં આ લોકોએ સાંજે 4 વાગ્યે છત્રપતિ શિવાજીની પ્રતિમા પાસે તેમના ધર્મના 400થી 500 લોકોને રમખાણો ભડકાવવાના હેતુથી ભેગા કર્યા. તેણે વારંવાર સ્પીકર્સ થકી એનાઉન્સમેન્ટ કરીને
વિસ્તારમાં આતંક ફેલાવવાના ઈરાદાથી ટોળાએ હવામાં કુહાડી, પથ્થર, લાકડીઓ અને અન્ય ખતરનાક હથિયારો ઉછાળ્યા. તેઓએ લોકોમાં ભય પેદા કર્યો અને ધાર્મિક દ્વેષ વધારવાના ઈરાદાથી સામાજિક સૌહાર્દ બગાડવાનું કામ કર્યું.
ટોળાના સભ્યોએ હત્યાના ઇરાદાથી ભાલદારપુરા ચોક વિસ્તારમાં પોલીસ ઉપર ઘાતક હથિયારો અને પથ્થરોથી હુમલો કર્યો. તેમણે પોલીસકર્મીઓને તેમની ફરજો બજાવવાથી હતોત્સાહ કરવા પેટ્રોલ બોમ્બ ફેંક્યા. ટોળાએ ફરજ પરના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને રોકીને કહ્યું, “તમે જાણી જોઈને અમારા ધર્મની ચાદર બાળવામાં મદદ કરી” એવી ખોટી અફવાઓ ફેલાવીને લોકો સામે પોલીસને ગાળો- અપશબ્દો બોલતા વિવિધ સ્થળોએ પથ્થરો, ખતરનાક હથિયારોથી માર મારીને ઘાયલ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો, અમદાવાદમાં 28 PIની બદલી, અસામાજિક તત્ત્વોના આતંક બાદ રામોલના PIને કંટ્રોલ રૂમમાં મુકાયા