ઈ-મેમો નહીં ભરનાર 8 હજારથી વાહન ચાલકોને કોર્ટની નોટીસ, હવે તો દંડ ભરવો જ પડશે!

રાજ્યના સુરેન્દ્રનગરમાં પ્રથમ વખત ઇ-મેમો નહિ ભરનાર 8100 જેટલા વાહન ચાલકોને કોર્ટ નોટિસ આપવામાં આવી છે. 8100 જેટલા વહાનચાલકોને મેમો આપવામાં આવ્યો પણ ભરવામાં કચાસ વહાનચાલકો દ્વારા દેખાડવામાં આવી હતી
જેમાંથી સૌથી વધુ ચાલું વાહને મોબાઈલમાં વાત કરવાના મેમો છે.ચાલું વાહનોમાં મોબાઈલમાં વાત કરવા માટે 2500થી વધુ વાહનચાલકોને મેમો ફટકારવામાં આવ્યા છે.ફેન્સી નંબર પ્લેટ અને 3 સવારી મોટરસાઇકલ ચલાવા જેવા નિયમોના ઉલ્લંઘન બદલ પર ઇ મેમાં ફટકારવામાં આવ્યા છે..જો આ વાહનચાલકો 8 માર્ચ સુધીમાં મેમાની રકમો નહી ભરે તો તેમની સામે કાર્યવાહી કરવામા આવશે
આ પણ વાંચો, Surat: સુરતમાં ફાયર જવાનોને પણ બોડીવોર્ન કેમેરા અપાશે, ગાડીઓ GPSથી સજ્જ કરાશે