Ahmedabad: અંધજન મંડળ દ્વારા કાર રેલીનું આયોજન, દિવ્યાંગો નેવિગેટર તરીકે કામ કરશે, બ્રેઈલ નકશા દ્વારા દ્રષ્ટિહીન ડ્રાઈવરોને માર્ગદર્શન આપશે

અંધજન મંડળ એક સ્વૈચ્છિક સંસ્થા છે. જે શિક્ષણ, તાલીમ, સમુદાય-આધારિત પુનર્વસન અને પછી ઓપન પ્લેસમેન્ટ દ્વારા અંધ અને અપંગ લોકોના સામાજિક અને આર્થિક પુનર્વસન માટે કાર્ય કરે છે. તમને જાણીને આનંદ થશે કે, બ્લાઇન્ડ પીપલ્સ એસોશિયેશન અને અમદાવાદ રાઉન્ડ ટેબલ અને લેડિસ સરક્લેએ 23 માર્ચ 2025ના રોજ દિવ્યાંગો માટે 27મી કાર રેલીનું આયોજન કર્યું છે. આ રેલીનો ઉદ્દેશ્ય અંધ લોકોની ક્ષમતાઓ વિશે જનજાગૃતિ લાવવાનો અને અંધ વ્યક્તિઓમાં સ્પર્ધાની ભાવના વિકસાવવાનો છે.
છેલ્લા ઘણા વર્ષોથી દિલ્હી, મુંબઈ, મદ્રાસ, હૈદરાબાદ, કલકત્તા અને પુનામાં આવી કાર રેલીઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ 27મી વખત છે જ્યારે ગુજરાતમાં આવી રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં અંધ વ્યક્તિઓ નેવીગેટર તરીકે કામ કરશે અને બ્રેઈલ નકશામાંથી રેલી પ્રશિક્ષકો વાંચશે અને દ્રષ્ટિહીન ડ્રાઈવરોને માર્ગદર્શન આપશે.
આ કાર રેલીને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ હર્ષદભાઈ પટેલ અને અન્ય મહેમાનો દ્વારા સવારે 8 વાગ્યે બ્લાઈન્ડ પીપલ્સ એસોશિયેશન, જગદીશ પટેલ ચોક, વસ્ત્રાપુરના પરિસરથી લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવશે.
આ રેલીમાં સમય, ગતિ અને અંતર માપન મુજબ ડ્રાઈવર કૌશલ્યનું પરિક્ષણ કરવામાં આવે છે. જોકે, સમગ્ર રૂટ બ્રેઈલમાં છે. આ એક અસાધારણ પરિસ્થિતિ બનાવે છે. જ્યાં દૃષ્ટિહીન ડ્રાઈવર કોર્સમાંથી પસાર થવા માટે સંપૂર્ણપણે અંધ નેવિગેટર પર નિર્ભર રહે છે. તે એક એવું વાતાવરણ બનાવે છે જ્યાં લોકો તેમના અવરોધો દૂર કરી શકે છે અને એકબીજા સાથે વાતચીત કરી શકે છે. દર વર્ષે 75થી વધુ કાર આ અનોખી કાર રેલીમાં ભાગ લે છે.