ન્યૂનતમ રૂ.10 હજાર પેન્શન, મોંઘવારી રાહત અને ગ્રેચ્યુટી…: સરળ શબ્દોમાં જાણીએ અહીં ક્લિક કરી

કેન્દ્ર સરકારે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)માં પહેલાથી જ નોંધાયેલા કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) લાગુ કરવાની જાહેરાત કરી છે. આ યોજના જે જૂની પેન્શન યોજના (OPS) અને NPS બંનેના ઘટકોને જોડે છે, તેનો ઉદ્દેશ્ય નિવૃત્ત કર્મચારીઓને ગેરંટીકૃત પેન્શન આપવાનો છે, જે નિવૃત્તિ પછી નાણાકીય સુરક્ષા અને ગૌરવ સુનિશ્ચિત કરે છે. UPS 1 એપ્રિલ, 2025 થી અમલમાં આવશે. આજે શનિવારે કેન્દ્ર સરકારે આ યોજનાને લઈને 15 પેજનું ગેઝેટ જાહેર કરી દીધું છે, ત્યારે ન્યૂનતમ રૂ.10 હજાર પેન્શન, મોંઘવારી રાહત અને ગ્રેચ્યુટી સહિતની સુવિધાને લઈને ચાલો જાણીએ શું છે UPSની વિશેષતાઓ.

ન્યૂનતમ યોગ્યતા સેવા: 25 વર્ષ ઓછામાં ઓછી નોકરી કરવી અનિવાર્ય છે.

  • ઓછામાં ઓછી 10 વર્ષની સેવાની સાથે, 25 વર્ષથી ઓછી સેવા સમયગાળા માટે ગણતરીના આધારે પેન્શન.
  • કર્મચારીના મૃત્યુ પહેલાં તરત જ પેન્શનના 60% પર ફેમિલી પેન્શન આપવામાં આવે છે.
  • ઓછામાં ઓછા 10 વર્ષની સેવા પછી નિવૃત્તિ પર દર મહિને 10 હજાર રૂપિયા આપવામાં આવશે.
    પેન્શન, ફેમિલી પેન્શન અને ન્યૂનતમ પેન્શન પર મોંઘવારી રાહત આપવામાં આવશે.
  • નિવૃત્તિ સમયે ગ્રેચ્યુટી ઉપરાંત એકમ રકમ ચૂકવવામાં આવશે.

પેન્શન અમાઉન્ટ: છેલ્લા 12 મહિના મળેલા સરેરાશ બેઝિક પગારના 50 ટકા હશે.

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં પેન્શન યોજનાને લઈને આ મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. નવી યુનિફાઇડ પેન્શન સ્કીમ હેઠળ સરકારના કુલ 23 લાખ કર્મચારીઓને લાભ મળશે. યુનિફાઇડ પેન્શન યોજના પ્રમાણે જે કર્મચારી 25 વર્ષ સુધી કામ કરશે તેને આખી પેન્શન મળશે. સરકારે પહેલી એપ્રિલ 2025થી યુનિફાઇડ પેન્શન સ્કીમ લાગુ કરવાનો નિર્ણય લીધો.

આટલું જ નહીં જો ચાલુ નોકરીએ કર્મચારીનું મોત થઈ જાય છે તો પત્નીને 60 ટકા પેન્શન આપવામાં આવશે. 10 વર્ષ સર્વિસ આપનારા કર્મચારીને 10 હજાર રૂપિયા પેન્શન મળશે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે વિવિધ રાજ્ય સરકારો પણ આ યોજના લાગુ કરી શકે છે. યુનિફાઇડ પેન્શન યોજના પ્રમાણે 25 વર્ષ સુધી નોકરી કરનારા કર્મચારી પૂર્ણ પેન્શન મેળવવાનો અધિકાર ગણાશે. જે તે કર્મચારીની નોકરીના છેલ્લા 12 મહિનામાં જે વેતન મળતું હશે તેના 50 ટકા રિટાયરમેન્ટ બાદ પેન્શન રૂપે આપવામાં આવશે. રિટાયરમેન્ટ બાદ પેન્શનભોગીનું નિધન થાય છે તો મૃત્યુ સમયે મળતા પેન્શનનું 60 ટકા તેમના પરિવારને મળશે.

યુનિફાઈડ પેન્શન સ્કીમ હેઠળ કર્મચારીને નિવૃત્તિ પછી 12 મહિનાનો એવરેજ બેઝિક પગારના 50 ટકા રકમ પેન્શન પેટે આપવામાં આવશે. જેની ગણતરી આ મુજબ કરી શકાય. જો તમે સરકારી કર્મચારી છો અને તમે NPSને બદલે UPS પસંદ કરો છો અને છેલ્લા 12 મહિનાનો તમારો સરેરાશ બેઝિક પગાર રૂ. 50 હજાર છે, તો આ યોજના હેઠળ તમને નિવૃત્તિ પછી દર મહિને 25 હજાર રૂપિયા મળશે. જો કે, તેમાં મોંઘવારી રાહત (DR) અલગથી ઉમેરવામાં આવશે. એટલે કે, પેન્શનની રકમ 35 હજાર સુધી વધી શકે છે. જ્યારે કર્મચારીનું મૃત્યુ થાય છે અને તેનું પેન્શન 30 હજાર રૂપિયા પ્રતિ મહિને છે, તો તેના પરિવારને પેન્શનના 60 ટકા રકમ આપવાની જોગવાઈ અંતર્ગત નિશ્ચિત મહિનાનું પેન્શન 18 હજાર રૂપિયા થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *