સ્થાનિક ચૂંટણીને પગલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવશે, નારણપુરામાં કરશે મતદાન

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે.

26 એપ્રિલે સવારે લગભગ 11 વાગ્યે નારણપુરા વિસ્તારમાં મતદાન કરશે. માહિતી મુજબ, અંકુર ચાર રસ્તા પાસે આવેલી સબ ઝોનલ ઓફિસમાં તેઓ મતદાન કરશે.

તેમના મતદાનને લઈને અહીં સુરક્ષા વ્યવસ્થા પણ કડક બનાવવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *