PM Modi visits Gujarat: આવતીકાલે PM મોદી ગુજરાતની મુલાકાતે, આગમનને લઈને તંત્રએ શરૂ કરી તૈયારી

 આવતીકાલે રાત્રે એટલે કે 1 માર્ચના રોજ PM મોદી જામનગર આવશે. PM મોદી જામનગરમાં રાત્રિ રોકાણ કરી શકે છે. ત્યારબાદ જામનગરમાં રિલાયન્સના વનતારાની મુલાકાત લેશે.

વડાપ્રધાનના આગમનને લઈને તંત્રએ સ્વાગત માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. મળતા અહેવાલ પ્રમાણે  જામનગરના રસ્તાઓ પર રેલીંગો મૂકવામાં આવી છે. પોલીસ તંત્ર દ્વારા રિહર્સલ કરવામાં આવી રહ્યું છે.  જો કે આ કાર્યક્રમને લઈને તંત્ર દ્વારા કોઈ સતાવાર માહિતી આપવામાં આવી નથી. 

3,000 એકરમાં ફેલાયું છે વનતારા 

3,000 એકરના પ્રાણી સંગ્રહાલય વનતારાની મુલાકાત લે તેવી શક્યતા છે. ભારત સરકાર દ્વારા ગુરુવારે વંતારાને ભારતના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર, ‘પ્રાણી મિત્ર’ (પ્રાણીઓના મિત્ર) રાષ્ટ્રીય પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે.

આ પણ વાંચો, Glacier collapses: ઉત્તરાખંડનાં બદ્રીનાથમાં ગ્લેશિયર તૂટતાં 57 શ્રમિકો ફસાયા, 16ને બહાર કઢાયા

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *