
Ambaji ભાદરવી પૂનમનો મહામેળો આજે, તેના સાતમા અને અંતિમ દિવસે, માતાજીના જયઘોષ સાથે સંપન્ન થયો. લાખો શ્રદ્ધાળુઓ અને સરકારી વિભાગો દ્વારા માતાજીને ધ્વજ અર્પણ કરાયા બાદ, આ મેળો કોઈ પણ મોટી ઘટના વિના સુપેરે પૂર્ણ થયો.
મેળાના છેલ્લા દિવસે, વહેલી સવારે મંગલા આરતી હોવાથી, યાત્રિકોનો ધસારો ખૂબ જ વધી ગયો હતો. શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ધ્વજા લઈને મંદિરના શિખરે ચઢાવવા ઉમટી પડ્યા હતા. આ ધ્વજારોહણ યાત્રિકો સાથે સરકારી વિભાગો દ્વારા પણ કરવામાં આવ્યું.
આ પણ વાંચો, ગુજરાતમાં અરવિંદ કેજરીવાલની રેલી રદ; વરસાદે AAPનો પ્લાન બગાડ્યો કે પછી પાછળ બીજું કોઈ કારણ?
