‘…તો પાકિસ્તાની PM માર્યા ગયા હોત,’ ભારત-પાક યુદ્ધ પર ડોનાલ્ડ ટ્રમ્પનો નવો દાવો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મહત્વપૂર્ણ દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે તેમણે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફનો જીવ બચાવ્યો હતો. તેમણે કહ્યું છે કે જો તેમણે દરમિયાનગીરી ન કરી હોત તો પાકિસ્તાનના વડાપ્રધાન માર્યા ગયા હોત. ટ્રમ્પ ઓપરેશન સિંદૂર દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધનો ઉલ્લેખ કરી રહ્યા હોવાનું માનવામાં આવે છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે 2025ના ભારત-પાકિસ્તાન લશ્કરી તણાવ દરમિયાન તેમના રાજદ્વારી હસ્તક્ષેપથી પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફનો જીવ બચી ગયો હતો. ટ્રમ્પે કહ્યું છે કે જો તેમણે દરમિયાનગીરી ન કરી હોત તો પરિસ્થિતિ અત્યંત ગંભીર બની શકી હોત. તેમનો દાવો છે કે તે સમયે પરિસ્થિતિ પરમાણુ સંઘર્ષ તરફ આગળ વધી રહી હતી અને તેમની વાટાઘાટોથી 35 મિલિયન લોકોના જીવ બચી ગયા હતા.
મે 2025થી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઘણી વખત કહ્યું છે કે તેમણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે ફોન પર વાત કરીને તણાવ ઓછો કર્યો હતો. તેઓ ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામનું કારણ હતા. જોકે, ભારતે વારંવાર ટ્રમ્પના દાવાને નકારી કાઢ્યો છે. ભારત સરકારે સ્પષ્ટપણે કહ્યું છે કે યુદ્ધવિરામ ટ્રમ્પના કારણે નથી.
ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાને અમેરિકા પાસે વિનંતી કરી હતી. પહેલી વાર અમેરિકાએ સ્વીકાર્યું કે ભારતીય કાર્યવાહીથી ડરીને પાકિસ્તાને શરૂઆતમાં અમેરિકા પાસેથી મદદ માંગી હતી. ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે અનેક પાકિસ્તાની લશ્કરી ઠેકાણાઓ પર ઝડપી હુમલા કર્યા હતા. ભારતીય સેનાએ કરાચી અને અન્ય પાકિસ્તાની ઠેકાણાઓ પર ડ્રોન છોડ્યા, જેનાથી નોંધપાત્ર નુકસાન થયું હતું. ટ્રમ્પનો દાવો છે કે પાકિસ્તાને ભારતીય કાર્યવાહીથી ડરીને અમેરિકા પાસે વિનંતી કરી હતી.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: ગ્રીન સાડી અને રેડ ડીપનેક બ્લાઉઝમાં મેઘા શુક્લાએ આપ્યા હોટ પોઝ