લશ્કર-એ-તૈયબાના આતંકી આબિદ રમઝાન શેખના માતા-પિતાએ ઘર પર ત્રિરંગો લહેરાવ્યો

આજે સમગ્ર દેશ ૮૦મા સ્વતંત્રતા દિવસ (Independence Day) ની ઉજવણી કરી રહ્યો છે અને દેશના અલગ-અલગ વિસ્તારોમાંથી દેશભક્તિની સુંદર તસવીરો સામે આવી રહી છે. પરંતુ આ દરમિયાન જમ્મુ-કાશ્મીર (Jammu & Kashmir) થી એક એવી ખાસ તસવીર સામે આવી છે જેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે. લશ્કર-એ-તૈયબા (Lashkar-e-Taiba) ના સક્રિય આતંકવાદી (Active Terrorist) આબિદ રમઝાન શેખના માતા-પિતાએ શોપિયાંના છોટીપોરા સ્થિત પોતાના ઘર પર પૂર્ણ આદર સાથે ભારતનો રાષ્ટ્રધ્વજ ત્રિરંગો (National Flag Tricolor) લહેરાવ્યો છે.
આ વિસ્તારમાંથી સામે આવેલી આ તસવીરમાં આતંકીના પરિવારજનોના ચહેરા પર દેશ પ્રત્યે ગર્વ (Pride) અને સ્વાભિમાનની સ્પષ્ટ ઝલક જોવા મળી રહી છે, જે કાશ્મીરમાં બદલાતા વાતાવરણની એક નવી કહાની બયાન કરે છે.
આબિદ રમઝાન શેખ લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર (Commander) છે અને તેના નિર્દેશો પર જ આ વિસ્તારમાં કેટલીક મોટી આતંકી ઘટનાઓને અંજામ આપવામાં આવ્યો હતો. તેની વિરુદ્ધ અનેક મામલાઓમાં એફઆઈઆર (FIR) નોંધાયેલી છે. વર્ષ ૨૦૨૨માં જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના એક જવાનની હત્યા કેસમાં પણ તેનું નામ મુખ્ય ષડયંત્રકારી તરીકે સામે આવ્યું હતું.