ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝ ફાયર પછી શેરબજારમાં ભારે ઉછાળો, માર્કેટ 2100 પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યું

ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયર વચ્ચે શેરબજારમાં  ભારે ઉછાળ આવ્યો છે. શેરબજાર 2000થી વધુના ઉછાળા સાથે ખૂલ્યો હતો. આ સાથે બજાર 81,344 પર પહોંચી ગયું છે. જ્યારે નિફ્ટી 579ના આંકડા સાથે 24,587 પર છે. સનફાર્મા સિવય અનેય તમામ શેરો ટોપમાં ચાલી રહ્યા છે. તો બીજી તરફ અડાણી પોર્ટસ, બજાજ ફાયનાન્સ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ટોપ ગેનર્સ છે. 

શેરબજારમાં વૃદ્ધિના સંકેતો પહેલાથી જ હતા. એશિયન બજારોમાં ઉછાળા પછી, BSE સેન્સેક્સ 80,803.80 પર ટ્રેડિંગ શરૂ કર્યું, જે તેના અગાઉના બંધ 79,454.47 થી 1500 પોઈન્ટથી વધુ હતું, અને પછી થોડીવારમાં તે 1926 પોઈન્ટ વધીને 81,380 ની આસપાસ ટ્રેડિંગ શરૂ કર્યું, અને અડધા કલાકના ટ્રેડિંગ પછી, ઇન્ડેક્સ 2287.22 પોઈન્ટ અથવા 2.88% વધીને 81,741.69 પર ટ્રેડિંગ શરૂ કર્યું.

 NSE નિફ્ટી પણ 24,420 પર ખુલ્યો

સેન્સેક્સની સાથે, NSE નિફ્ટી પણ 24,420 પર ખુલ્યો,અને થોડા જ સમયમાં, તે 582.75 પોઈન્ટના વધારા સાથે 24,593.75 પર ટ્રેડ થતો જોવા મળ્યો અને અડધા કલાકમાં, તે પણ 691.85 પોઈન્ટ અથવા 2.88% વધીને 24,699.85 પોઈન્ટ પર પહોંચ્યો.

યુદ્ધવિરામ પછી સારા સંકેતો જોવા મળ્યા

ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ પછી, બજારને વિદેશોમાંથી સારા સંકેતો મળી રહ્યા હતા, જેની અસર પણ જોવા મળી હતી. જ્યાં છેલ્લા ટ્રેડિંગ દિવસે યુએસ શેરબજાર મિશ્ર સ્તરે બંધ થયું. તો સોમવારે, અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે, મોટાભાગના એશિયન બજારો વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. શરૂઆતના કારોબારમાં ગિફ્ટ નિફ્ટી 525 પોઈન્ટ ઉછળીને 24,610 ના સ્તરે પહોંચ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *