Onion prices: મોંઘવારીમાં રાહત સમાચાર! સરકારના આ નિર્ણયથી ડુંગળીના ભાવમાં આવશે ધરખમ ઘટાડો

કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર લાદવામાં આવેલી 20 ટકા ડ્યુટી સત્તાવાર રીતે દૂર કરી દીધી છે. આ નિર્ણય 1 એપ્રિલ, 2025 થી અમલમાં આવશે. મહેસૂલ વિભાગે ગ્રાહક બાબતોના વિભાગની ભલામણ પર આ સૂચના જારી કરી છે. આ પગલાથી ડુંગળીના નિકાસકારોને ઘણી રાહત મળવાની અપેક્ષા છે.
છેલ્લા કેટલાક સમયથી, સરકારે સ્થાનિક બજારમાં ડુંગળીની ઉપલબ્ધતા જાળવવા અને કિંમતોને નિયંત્રિત કરવા માટે કડક પગલાં લીધાં છે. આમાં નિકાસ જકાત, લઘુત્તમ નિકાસ ભાવ (MEP) અને થોડા સમય માટે સંપૂર્ણ નિકાસ પ્રતિબંધનો સમાવેશ થાય છે. આ પ્રતિબંધ 8 ડિસેમ્બર 2023 થી 3 મે 2024 સુધી લગભગ 5 મહિના સુધી અમલમાં રહ્યો. 13 સપ્ટેમ્બર, 2024 ના રોજ 20 ટકા નિકાસ ડ્યુટી લાદવામાં આવી હતી, જે હવે દૂર કરવામાં આવી છે.
જોકે, પ્રતિબંધો છતાં, ભારતે સારી માત્રામાં ડુંગળીની નિકાસ કરી. નાણાકીય વર્ષ 2023-24 કુલ 17.17 લાખ મેટ્રિક ટન (LMT) ડુંગળીની નિકાસ કરવામાં આવી હતી, જ્યારે નાણાકીય વર્ષ 2024-25માં (18 માર્ચ, 2025 સુધી) 11.65 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસ કરવામાં આવી હતી.
આ પણ વાંચો, અમદાવાદમાં રોંગ સાઇડ ડ્રાઇવ કરતા વાહન ચાલકો વિરૂદ્ધ કાર્યવાહી, આટલા લોકો સામે નોંધાઇ ફરિયાદ