યુદ્ધ વચ્ચે કતારે ભારતને ગેસ સપ્લાયમાં ઘટાડો કર્યો, કારણ જણાવ્યું

Oplus_131072

ઈરાની હુમલા બાદ કતારે એક મોટું પગલું ભર્યું છે, ભારતમાં તેની LNG નિકાસમાં ભારે ઘટાડો કર્યો છે. કુદરતી ગેસ માટે ભારત કતાર પર નિર્ભર છે. કતારના નિર્ણય બાદ ભારતીય કંપનીઓએ ઉદ્યોગોને ગેસ સપ્લાયમાં ઘટાડો કર્યો છે.

ઈરાન યુદ્ધની અસર ભારતમાં પણ દેખાવા લાગી છે. ભારતને કુદરતી ગેસ સપ્લાય કરતા કતારે એક મોટું પગલું ભર્યું છે, જેમાં ભારતને LNG નિકાસમાં 40 ટકા સુધીનો ઘટાડો થયો છે. કતાર વિશ્વનો સૌથી મોટો કુદરતી ગેસ ઉત્પાદક દેશ છે. ઈરાન અને ઈઝરાયલ-અમેરિકા જંગ શરૂ થતાં જ કતાર પર હુમલા થયા છે.

ઈરાને કતારમાં અમેરિકી લશ્કરી મથક પર હુમલો કરીને અમેરિકા સામે બદલો લીધો. આ સિવાય ઈરાને કતારમાં વિશ્વના સૌથી મોટા એલએનજી પ્લાન્ટમાંના એક પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો. સોમવારે ઈરાને કતારના બે એનર્જી પ્લાન્ટ રાસ લફ્ફાન ઇન્ડસ્ટ્રીયલ સિટી અને મેસાઈદ ઇન્ડસ્ટ્રીયલ સિટી પર હુમલો કર્યો. હુમલો એટલો શક્તિશાળી હતો કે કતારે પ્લાન્ટ બંધ કરવાનો નિર્ણય લીધો. આનાથી વિશ્વભરમાં ગેસ સપ્લાય પર અસર થવાની શક્યતા હતી. ભારત કતારમાંથી નિકાસ થતા કુદરતી ગેસના સૌથી મોટા ગ્રાહકોમાંનો એક છે.

ભારત દરેક વર્ષે આશરે 27 મિલિયન ટન લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) આયાત કરે છે, જેમાંથી કતાર આશરે 40ટકા સપ્લાય કરે છે. ભારત વિવિધ ક્ષેત્રોમાં માંગને પહોંચી વળવા માટે આ ગેસની આયાત કરે છે, જેમાં વીજ ઉત્પાદન અને ફર્ટિલાઇજર પ્રોડક્શનથી લઈને CNG વિતરણ અને પાઈપ દ્વારા રાંધણ ગેસ નેટવર્કનો સમાવેશ થાય છે.

ગેસ આયાતકાર પેટ્રોનેટ LNG લિમિટેડે ગેસ માર્કેટર્સને જાણ કરી છે કે ઇઝરાયલ અને અમેરિકા દ્વારા કરવામાં આવેલા હુમલાઓના બદલામાં ઇરાન ગલ્ફ દેશો પર હુમલો કરવાનું ચાલુ રાખતા કતારે તેનું લિક્વિફાઇડ નેચરલ ગેસ ઉત્પાદન રોકી દીધું છે.

આ હુમલાઓએ હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા તેલ અને LNG શિપમેન્ટને પણ લગભગ રોકી દીધું છે, જેના કારણે વિશ્વભરમાં ઊર્જાના ભાવમાં વધારો થયો છે અને યુદ્ધ-જોખમ વીમા અને શિપિંગના ખર્ચમાં તીવ્ર વધારો થયો છે.

ઈરાન હોર્મુઝ સ્ટ્રેટને નિયંત્રિત કરે છે. આ એક મહત્વપૂર્ણ દરિયાઈ અવરોધ બિંદુ છે જેના દ્વારા ભારતની લગભગ 50 ટકા ક્રૂડ ઓઇલ આયાત અને આશરે 54 ટકા એલએનજી પુરવઠો પસાર થાય છે. તે માત્ર કતારથી જ નહીં પરંતુ યુએઇથી પણ એલએનજી માટે એક પરિવહન માર્ગ છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે પેટ્રોનેટે તેના ગેસ ગ્રાહકો, ગેઇલ લિમિટેડ અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનને કતાર તરફથી સપ્લાય રોકવા અંગે જાણ કરી છે. તેના બદલે ગેસ માર્કેટર્સે CNG રિટેલિંગ માટે ફ્લો રેટ જાળવી રાખીને ઉદ્યોગોને સપ્લાય ઘટાડી દીધો છે. તેમણે જણાવ્યું હતું કે ઘટાડો 10ટકાથી 40ટકા સુધીનો છે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો:http://‘ઘણું મોડું થઈ ગયું’… ટ્રમ્પનો ઈરાનને ચોખ્ખો સંદેશ, વાતચીત પર લગાવી બ્રેક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *