વતનમાં વડાપ્રધાન, મહિલા દિવસે નવસારીમાં નરેન્દ્ર મોદી, લખપતિ દીદી સાથે સાધ્યો સંવાદ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે સંસ્કારી નગરી નવસારીના આંગણે આવ્યાં છે. નવસારીના વાસી બોરસી ખાતે લખપતિ દીદી કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા છે. આજે મહિલા દિવસે વડાપ્રધાન મોદી 41 હજાર લખપતિ દીદી સહિત દોઢ લાખ મહિલાઓનું સન્માન કરશે. આ કાર્યક્રમમાં સફળ મહિલાઓ કે જેઓ વાર્ષિક એક લાખ રૂપિયાથી વધુની કમાણી કરે છે તેઓને સન્માનિત કરવામાં આવશે. નોંધનીય છે કે, આજે વડાપ્રધાનની તમામ સુરક્ષાની જવાબદારી 3000 મહિલા પોલીસ કર્મચારીઓએ સંભાળી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાસી બોરસીમાં લખપતિ દીદીઓ સાથે સંવાદ કરી રહ્યા છે. જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલ પણ હાજર છે.ડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારી લખપતિ દીદી કાર્યક્રમમાં પહોંચ્યા છે. જે સૌપ્રથમ આઠ જેટલી લખપતિ દીદીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. જેમાં તેમણે મહિલાઓના અનુભવ સાંભળ્યાં હતાં.
વડાપ્રધાનના હેલીપેડથી લઇ કાર્યક્રમ સ્થળ સુધીની તમામ સુરક્ષા વ્યવસ્થામાં મહિલા પોલીસ કર્મચારીઓ ફરજ નિભાવિ રહી છે. આ ઉપરાંત તમામ કાર્યક્રમ સ્થળની વ્યવસ્થા બંદોબસ્ત પણ આ મહિલા પોલીસ કર્મચારીઓને સોંપવામાં આવી છે. અંદાજિત 3000 મહિલા પોલીસ કર્મચારીઓ આ સુરક્ષા વ્યવસ્થામાં જોડાઇ છે. નવસારી જિલ્લામાં લખપતિ દીદી કાર્યક્રમના સ્થળથી લઇ વડાપ્રધાનના હેલીપેડ સુધીની સુરક્ષા વ્યવસ્થા મહિલા પોલીસ કર્મચારીના શિરે છે. જ્યારે પુરુષ પોલીસ કર્મચારી ટ્રાફિક અને પાર્કિંગની વ્યવસ્થાની જવાબદારી સંભાળી રહ્યા છે. જોકે, સુરક્ષા વ્યવસ્થાના નિરીક્ષણ માટે સુપરવિઝન ઇન્ચાર્જ અધિકારી તરીકે ગૃહ વિભાગના અગ્ર સચિવ નીપૂર્ણા તોરવણે છે.
આ પણ વાંચો, Surat: માતા-પિતા અને પુત્રનો સામુહિક આપઘાત, આર્થિક સંકડામણમાં પરિવારે દવા ગટગટાવી