PM મતદાન માટે અમદાવાદ નહીં આવે:પોસ્ટલ બેલેટથી મતદાન કરશે

સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની આવનારી ચૂંટણીને લઈને ગઇકાલે સાંજે 6 વાગ્યાથી પ્રચાર પડઘમ સંપૂર્ણ રીતે શાંત થઈ ગયા હતા. આ સાથે જ મતદાન પહેલાંના 48 કલાક માટે આદર્શ આચારસંહિતાનો કડક અમલ શરૂ થઈ ગયો છે. આજથી (24 એપ્રિલ) ઉમેદવારો માત્ર ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે.

PM મોદી મતદાન માટે અમદાવાદ નહીં આવે. તેઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરશે. તો સુરતમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ કોંગ્રેસના 4 કાર્યકરને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *