Pakistan: ટ્રેન હાઇજેક બાદ હવે પાકિસ્તાન સેનાના વાહન પર હુમલો, 90 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયાનો દાવો

બલુચિસ્તાનમાં ટ્રેન હાઇજેક બાદ હવે પાકિસ્તાની સેનાના કાફલા પર હુમલો કરાયો હોવાનો દાવો કરાયો છે. આ હુમલામાં ઘણા સૈનિકો માર્યા ગયા છે. બલુચિસ્તાન લિબરેશન આર્મી (BLA) એ આ હુમલાની જવાબદારી લીધી અને દાવો કર્યો કે, આ હુમલામાં 90 પાકિસ્તાની સૈન્ય સૈનિકો માર્યા ગયા.
ધ બલુચિસ્તાન પોસ્ટ અનુસાર નુશ્કીમાં પાકિસ્તાની સેનાના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આરસીડી હાઇવે પર મિલમાં સેનાના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. અહીં શ્રેણીબદ્ધ વિસ્ફોટો થયા અને પછી ભારે ગોળીબાર થયો. હુમલા બાદ ઘણી એમ્બ્યુલન્સ અને સુરક્ષા દળો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા જ્યારે હોસ્પિટલોમાં કટોકટી જાહેર કરવામાં આવી હતી.
પાકિસ્તાની સેનાના કાફલા પર થયેલા હુમલાની જવાબદારી લેતા BLAના પ્રવક્તા ઝીયાંદ બલોચે જણાવ્યું હતું કે, BLAની આત્મઘાતી પાંખ માજીદ બ્રિગેડે થોડા કલાકો પહેલા નોશ્કીમાં RCD હાઇવે પર રસખાન મિલ પાસે પાકિસ્તાની સેનાના કાફલાને નિશાન બનાવ્યો હતો. આ કાફલામાં 8 બસો હતી જેમાંથી એક સંપૂર્ણપણે નાશ પામી હતી. BLA એ દાવો કર્યો હતો કે, આ હુમલામાં 90 પાકિસ્તાની સેનાના સૈનિકો માર્યા ગયા હતા.
આ પણ વાંચો, Eknath Shinde: ‘એકનાથ શિંદે કોંગ્રેસમાં જોડાવા માંગતા હતા’, સંજય રાઉતના દાવાથી મચી ગયો ખળભળાટ