ઢોસાના ખીરાથી બે બાળકીના શંકાસ્પદ મોત કેસમાં નવો વળાંક, કરાશે લાઈ ડિટેક્શન ટેસ્ટ

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બનેલા બે નિર્દોષ બાળકીના શંકાસ્પદ મોતના કેસે સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. આ તરફ હવે આ ઘટનાને લઈને પોલીસ તપાસ હવે વધુ ગંભીર બની ગઈ છે અને સત્ય બહાર લાવવા માટે અનેક દિશામાં તપાસ ચાલી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ બંને બાળકીના મોતના કારણો હજી સુધી સ્પષ્ટ થયા નથી. પોલીસને મળેલી કેટલીક વિગતો અને પરિવારજનોના નિવેદનોમાં ગેરસામાન્યતા દેખાતા તપાસ વધુ ગહન બનાવવામાં આવી છે.

આ દરમિયાન માતા ભાવના પ્રજાપતિની એક ડાયરી મળવી એ કેસમાં મહત્વપૂર્ણ વળાંક સાબિત થઈ રહી છે. ડાયરીમાં પુત્રપ્રાપ્તિ અને ધાર્મિક માન્યતાઓ સાથે જોડાયેલા વિચારોનો ઉલ્લેખ હોવાનું જાણવા મળ્યું છે, જે તપાસમાં એક નવો દૃષ્ટિકોણ ઉમેરે છે. પોલીસે અત્યાર સુધીમાં 30થી વધુ લોકોના નિવેદનો નોંધ્યા છે અને ઘરના દરેક સભ્યની વિગતવાર પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસનો અંદાજ છે કે ઘટના ઘરઆંગણે જ બની હોઈ શકે છે, જેના કારણે ઘરનાં સભ્યો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત, સત્ય બહાર લાવવા માટે પોલીસ “લાઈ ડિટેક્શન ટેસ્ટ” (જેને સામાન્ય રીતે પોલિગ્રાફ ટેસ્ટ પણ કહેવામાં આવે છે) કરવાની તૈયારીમાં છે. મૃતક બાળકીના માતા-પિતા અને દાદા-દાદી પર આ ટેસ્ટ કરવામાં આવશે, પરંતુ તે માટે કાયદેસરની મંજૂરી લેવાની પ્રક્રિયા ચાલુ છે. આ ટેસ્ટ સામાન્ય રીતે વ્યક્તિના નિવેદનની સત્યતા ચકાસવા માટે કરવામાં આવે છે.

હાલમાં બંને બાળકીના માતા-પિતા હોસ્પિટલમાં ICUમાં સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. તપાસ અધિકારીઓ માને છે કે FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) રિપોર્ટ આવ્યા બાદ કેસમાં મહત્વપૂર્ણ ખુલાસા થઈ શકે છે, જે મોતનું ચોક્કસ કારણ નક્કી કરવામાં મદદરૂપ થશે.

અમરેલીમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે ઉમેદવારો જાહેર થતા જ કાર્યકરો અને હોદ્દેદારોમાં ભારે રોષ ફાટી નીકળ્યો.
👉 આખી ઘટના અને વિગતવાર માહિતી જાણવા અત્યારે જ ક્લિક કરો –https://www.instagram.com/reel/DW_IzsrjodA/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: જો-જો વગર કામે બહાર ન નીકળતા, આ તારીખો દરમ્યાન ગરમી ભૂક્કાં કાઢી નાખ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *