ભગવાન રામ અને હનુમાનનો ઉલ્લેખ, અમનજોતનો જગલિંગ કેચ… જુઓ PM મોદીએ હરમન બ્રિગેડ સાથે શું ચર્ચા કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે તેમના નિવાસસ્થાન 7 લોક કલ્યાણ માર્ગ ખાતે વર્લ્ડ કપ વિજેતા ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમને મળ્યા હતા. બેઠક દરમિયાન, પીએમ મોદીએ ખેલાડીઓની “ઉત્તમ લડાઈ ભાવના અને વાપસી” ની પ્રશંસા કરી હતી.
તેમણે કહ્યું, કે ટીમે ઐતિહાસિક વિજય હાંસલ કરવા માટે સતત ત્રણ હારના મુશ્કેલ સમયને પાર કર્યો. તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ ખેલાડીઓ સાથેની વાતચીત દરમિયાન તેમની સાથે જોડાયેલા કિસ્સા યાદ કર્યા હતા. તેમણે કેટલાક જૂના કિસ્સા પણ યાદ કર્યા હતા. ગુરુવારે (6 નવેમ્બર) ભારતીય વિમેન્સ ટીમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવાની છે.
પ્રધાનમંત્રીએ આ મુલાકાત દરમિયાન એ પણ ઉલ્લેખ કર્યો કે શરૂઆતના ઝટકા પછી, ખેલાડીઓએ સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો, પરંતુ તેઓએ નોંધપાત્ર માનસિક શક્તિ દર્શાવીને શાનદાર વાપસી કરી અને ઈતિહાસ રચ્યો.
2017ના વર્લ્ડ કપ પછી વડા પ્રધાન સાથેની તેમની છેલ્લી મુલાકાતને યાદ કરતા કેપ્ટન હરમનપ્રીત કૌરે કહ્યું કે ટીમ ટ્રોફી વિના પાછી ફરી હતી, પરંતુ આ વખતે તેઓ સફળતા સાથે પાછી ફરી અને આશા વ્યક્ત કરી કે ભવિષ્યમાં તેમને વડાપ્રધાનને મળવાની વધુ તકો મળશે.
હરમનપ્રીતે પીએમમોદીને પૂછ્યું કે તેઓ દરેક સમયે વસ્તુઓનું સંચાલન કેવી રીતે કરે છે. વડાપ્રધાને જવાબ આપ્યો કે સમય જતાં, તે તેમના જીવનનો એક ભાગ અને આદત બની ગઈ છે. દરમિયાન, ટીમની વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાનાએ કહ્યું કે વડાપ્રધાન મોદીના શબ્દો પ્રેરણા પૂરી પાડે છે.
હરમનપ્રીતની આગેવાની હેઠળની ટીમ મંગળવારે સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવા દિલ્હી પહોંચી હતી. બે દિવસ પહેલા જ, તેમણે નવી મુંબઈમાં ફાઈનલમાં સાઉથ આફ્રિકાને 52 રનથી હરાવીને પોતાનો પહેલો ODI વર્લ્ડ કપ જીત્યો હતો.
વાતચીત દરમિયાન, પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બનેલી દીપ્તિ શર્માએ વડા પ્રધાન મોદીને કહ્યું કે તે 2017થી તેમને મળવાની રાહ જોઈ રહી હતી. તેણે યાદ કર્યું કે તે સમયે, તેમણે ટીમને તેમના સપનાઓને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરવાનું ચાલુ રાખવાકહ્યું હતું. જ્યારે વડાપ્રધાને દીપ્તિના ઇન્સ્ટાગ્રામ બાયોમાં લખેલા “જય શ્રી રામ” અને તેમના હાથ પર ભગવાન હનુમાનના ટેટૂનો ઉલ્લેખ કર્યો, ત્યારે દીપ્તિએ હસીને કહ્યું કે આ જ તેને શક્તિ આપે છે.
પીએમ મોદીએ હરલીનના કેચને યાદ કર્યો
પીએમ મોદીએ મીટિંગ દરમિયાન કેટલીક યાદગાર ક્ષણોને પણ યાદ કરી, જેમાં 2021માં ઈંગ્લેન્ડ સામે હરલીન દેઓલનો શાનદાર કેચ પણ સામેલ હતો, જેના વિશે તેમણે તે સમયે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.
હરમનપ્રીતનો કેચ યાદ કર્યો
વડાપ્રધાને તે ક્ષણનો ઉલ્લેખ કર્યો જ્યારે હરમનપ્રીત કૌરે વર્લ્ડ કપ ફાઈનલ પછી બોલ તેના ખિસ્સામાં મૂક્યો હતો. હરમનપ્રીતે હસીને કહ્યું કે તે ભાગ્યશાળી છે કે બોલ તેની પાસે આવ્યો.
પીએમ મોદીએ અમનજોતના જગલિંગ કેચ વિશે શું કહ્યું?
પ્રધાનમંત્રી મોદીએ ફાઈનલમાં અમનજોત કૌરના જગલિંગ કેચનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે હસીને કહ્યું, “તમે કેચ લેતી વખતે બોલ તરફ જોઈ રહ્યા હશો, પરંતુ તેને લીધા પછી તમને ટ્રોફી દેખાઈ રહી હશે.”
ક્રાંતિ ગૌડના ભાઈને આમંત્રણ
ક્રાંતિ ગૌડે પ્રધાનમંત્રીને કહ્યું કે તેનો ભાઈ તેમનો મોટા ફેન છે, અને પીએમ મોદીએ તેને મળવા માટે ખુલ્લું આમંત્રણ આપ્યું હતું.
પીએમ મોદીએ ખેલાડીઓને દેશભરમાં, ખાસ કરીને છોકરીઓમાં “ફિટ ઈન્ડિયા” સંદેશ ફેલાવવા માટે પણ વિનંતી કરી. તેમણે વધતી જતી સ્થૂળતાની સમસ્યા પર ચિંતા વ્યક્ત કરી અને ફિટનેસ અને શારીરિક પ્રવૃત્તિના મહત્ત્વ પર ભાર મૂક્યો.
તેમણે ખેલાડીઓને તેમની શાળાઓની મુલાકાત લેવા અને બાળકોને રમતગમતમાં જોડાવા માટે પ્રેરણા આપવા પણ કહ્યું. ખેલાડીઓ હવે તેમના વતન પાછા ફરશે. જોકે, શેફાલી વર્મા નાગાલેન્ડ જશે, જ્યાં તે આગામી ઈન્ટર-ઝોનલ T20 ટુર્નામેન્ટમાં નોર્થ ઝોન ટીમની કેપ્ટનશિપ કરશે.
ભારતનો વર્લ્ડ કપ વિજય દેશમાં વિમેન્સ ક્રિકેટ માટે એક ઐતિહાસિક ક્ષણ તરીકે ચિહ્નિત થયો, જેણે વર્ષોની મહેનત અને અધૂરા સપનાઓને સાકાર કર્યા. હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં, ટીમ ઈન્ડિયાએ મજબૂત સાઉથ આફ્રિકાને હરાવ્યું અને ODI ટાઈટલ જીતનાર ચોથી ટીમ બનવાનું સન્માન પ્રાપ્ત કર્યું.
આ પણ વાંચો, http://શું ગુજરાતમાં ફરી માવઠું થશે? આવી ગઈ અંબાલાલની મોટી આગાહી, જાણો શું કહ્યું