અમદાવાદમાં આવતીકાલથી શરૂ થશે ભવ્ય ફ્લાવર શો, પ્રાઈમ ટાઈમમાં જવું હોય તો ખરીદવી પડશે મોંઘી ટીકિટો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજીત ફલાવર શો-૨૫ ૩ જાન્યુઆરીથી ખુલ્લો મુકવામાં આવશે.ફલાવર શોની સાથે રાજયના મુખ્યમંત્રી અમદાવાદ માટે ટ્રી સેન્સસની કામગીરીનો આરંભ કરાવશે.ફલાવરશોની મુલાકાતે આવનારા મુલાકાતીઓ તેમનો અભિપ્રાય ડીજીટલ સ્વરુપમાં આપી શકે એ માટે કયુઆર કોડ સિસ્ટમ રાખવામાં આવશે.

ગત વર્ષ  કરતા ફલાવર શો-૨૫ના આયોજન પાછળ મ્યુનિસિપલ તંત્ર ત્રણ કરોડ રુપિયા વધુ ખર્ચ કરશે. ફલાવર શો-૨૫ જોવા માંગતા મુલાકાતીએ સોમથી શુક્રવાર રુપિયા ૭૦ તથા શનિ અને રવિવારના રોજ રુપિયા ૧૦૦ ચૂકવવા પડશે. આ ઉપરાંત સવારે ૯થી ૧૦ તથા રાત્રે ૧૦ થી ૧૧નો સમય પ્રાઈમ ટાઈમ રાખવામાં આવ્યો છે.જેમાં પ્રતિ વ્યકિત રુપિયા ૫૦૦ ટિકીટ દર  રાખવામાં આવ્યા છે.

૩ જાન્યુઆરીથી  સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફલાવરશોનો રાજયના મુખ્યમંત્રી આરંભ કરાવશે.અમદાવાદમાં વર્ષ-૨૦૧૩થી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફલાવરશોનું આયોજન કરવામાં આવે છે. વર્ષ-૨૦૨૪માં ફલાવર શોનું આયોજન કરવા પાછળ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રુપિયા ૧૧.૪૪ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જેની તુલનામાં હવે રુપિયા ૧૫ કરોડનો ખર્ચ કરવામાં આવશે. ફલાવર શોમાં ૧૨ વર્ષથી નાની વયના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ અપાશે. સોમવારથી શુક્રવાર દરમિયાન  ટિકીટના દર પ્રતિ વ્યકિત વર્ષ-૨૦૨૪માં રુપિયા ૫૦ હતા તેના બદલે રુપિયા ૭૫ કરવામા આવ્યા છે.ગત વર્ષે શનિ અને રવિવારે પ્રતિ વ્યકિત રુપિયા ૭૫ ટિકીટના દર  હતા.જે હવે રુપિયા ૧૦૦ કરવામાં આવ્યા છે.

પ્રાઈમ ટાઈમમમાં ફલાવર શો જોવા રુપિયા ૫૦૦ ખર્ચ કરવો પડશે

ફલાવર શો દરમિયાન રોજ સવારે ૯થી ૧૦ કલાક તથા રાત્રે ૧૦ થી ૧૧ કલાક દરમિયાન જો મુલાકાતીઓ પ્રાઈમ ટાઈમમાં ફલાવર શો જોવા માંગતા હશે તો પ્રતિ વ્યકિત રુપિયા ૫૦૦ ટિકીટના દર વસૂલ કરાશે.મ્યુનિસિપલ શાળાના બાળકોને વિનામૂલ્યે ફલાવરશોમાં પ્રવેશ આપવામા આવશે.

ફલાવર શોમાં કીર્તી સ્તંભ ઉપરાંત લોટસ, એક પેડ મા કે નામ ઉપરાંત ઓલિમ્પિક ટોર્ચ, ગરબા,કેનોપીની, ફલાવર વેલી સહિતના સ્કલ્પચર તથા આઈકોનીક સ્ટ્રકચર મુકવામાં આવશે.નાના બાળકો માટે હલ્ક,ડોરેમોન, સ્પોન્જ બોબ વેગેરે કાર્ટુન આધારીત સ્કલ્પચર મુકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *