નેપાળ-તિબેટ સરહદે કુદરતનો કહેર: પૂરમાં 210ના મોત, ગુજરાતના 12 સહિત 178 ભારતીયો ગુમ, 1500 લોકોની શોધખોળ

 નેપાળ-તિબેટ સરહદ પર બુધવારે સવારે અચાનક આવેલા વિનાશક પૂરે ભારે તબાહી મચાવી છે. આ કુદરતી હોનારતમાં અત્યાર સુધીમાં 210 લોકોના મોત નિપજ્યા છે, જેમાં નેપાળમાં 157 અને તિબેટમાં 3 લોકોએ જીવ ગુમાવ્યા છે. પૂરના કારણે પાણીનું સ્તર લગભગ 30 ફૂટ સુધી વધી ગયું હતું, જેમાં ઘરો, વાહનો અને સરકારી માળખું તણાઈ ગયું છે. અમેરિકી જિયોલોજિકલ સર્વે અનુસાર, ચીન તરફ લ્હેંદે નદીમાં પહાડનો મોટો હિસ્સો ખસીને પડવાના કારણે આ ભયાનક પૂર આવ્યું હતું.

આ દિલધડક દુર્ઘટના બાદ 1500થી વધુ લોકો હજુ પણ ગુમ છે, જેમાં એકલા નેપાળમાં જ 826 લોકોનો સમાવેશ થાય છે. નેપાળના વિદેશ મંત્રી શિશિર ખનાલના જણાવ્યા અનુસાર ગુમ થયેલાઓમાં 300થી વધુ ભારતીયો છે. આ ઉપરાંત 28 દેશોના 500થી વધુ વિદેશી પ્રવાસીઓ પણ લાપતા છે. કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસે તાત્કાલિક સહાય માટે ઈમરજન્સી હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે.

પૂરના કારણે કૈલાશ માનસરોવર યાત્રા પર ગયેલા 178થી વધુ ભારતીય યાત્રાળુઓ ગુમ થયા હોવાની માહિતી મળી રહી છે. આ દુર્ઘટનામાં ગુજરાતના 12 લોકો સાથે પણ સંપર્ક થઈ શક્યો નથી, જેમાં અમદાવાદના 3, સુરતના 3, આણંદના 2, વલસાડના 1, રાજકોટના 1 તેમજ યુએસએ અને ઓસ્ટ્રેલિયાના 1-1 નાગરિકનો સમાવેશ થાય છે. રાજ્ય સરકાર દ્વારા તમામ આરટીઓને આ અંગેની વિગતો મેળવવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.

પૂરના તેજ પ્રવાહમાં 19 પુલ, આશરે 40 કિલોમીટરના રસ્તાઓ અને 13 હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ સંપૂર્ણપણે તબાહ થઈ ગયા છે. અનેક વિસ્તારોમાં સંપર્ક તૂટી જવાથી અસરગ્રસ્તોની સાચી માહિતી એકત્રિત કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. હાલ નેપાળી સેના, હેલિકોપ્ટર અને ડ્રોનની મદદથી યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. તાજેતરમાં નેપાળના રસુવા વિસ્તારમાં આવેલા વિનાશક પૂરના કારણે ભારે તારાજી સર્જાઈ છે. નેપાળ ટૂરિઝમ બોર્ડ (Nepal Tourism Board) દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓ મુજબ, આ પૂરની દુર્ઘટનામાં ભારત સહિત કુલ 33 દેશોના નાગરિકોનો સમાવેશ થાય છે.

આંકડાકીય માહિતી અને મુખ્ય અંશો

  • 27 ઓગસ્ટ 2026, ગુરુવાર બપોરે 12:00 વાગ્યા સુધીના રિપોર્ટ અનુસાર 
  • સૌથી વધુ અસરગ્રસ્ત દેશ (વિદેશી): ભારત (178 નાગરિકો હજુ પણ ગુમ)
  • સ્થાનિક નાગરિકો: નેપાળના 127 લોકો ગુમ છે.
  • અન્ય મુખ્ય અસરગ્રસ્ત દેશો:
  • અમેરિકા (USA): 65
  • યુક્રેન (Ukraine): 53
  • મલેશિયા (Malaysia): 51
  • ઓસ્ટ્રેલિયા (Australia): 35
  • યુનાઇટેડ કિંગડમ (UK): 33
  • કેનેડા (Canada): 25
  • ભારત અને અન્ય દેશો માટે ચિંતાનો વિષય

ભારત માટે આ દુર્ઘટના ખૂબ જ ચિંતાજનક છે કારણ કે ગુમ થયેલા લોકોમાં સૌથી મોટો આંકડો ભારતીયોનો છે. 178 ભારતીય પ્રવાસીઓ રસુવાના પૂરમાં ફસાયા હોવાની આશંકા છે. આ ઉપરાંત, નેપાળના પોતાના 127 નાગરિકો અને અમેરિકા, યુક્રેન તથા મલેશિયા જેવા દેશોના પ્રવાસીઓ પણ આ જળપ્રલયમાં ગુમ થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *