India’s warning: UNમાં ભારતની ચેતવણી..જમ્મુ-કાશ્મીરનો ગેરકાયદે કબજે કરેલો વિસ્તાર તરત ખાલી કરે, પાકિસ્તાને POK ખાલી કરવું જ પડશે

ભારતે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય મંચ પર સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે પાકિસ્તાને PoK ખાલી કરવું પડશે. પાકિસ્તાન પીઓકે પર ગેરકાયદેસર રીતે કબજો કરી રહ્યું છે. મંગળવારે ભારતે શાંતિ જાળવણી સુધારાઓ પર સંયુક્ત રાષ્ટ્રની ચર્ચામાં જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો વારંવાર ઉઠાવવા બદલ પાકિસ્તાનની ટીકા કરી હતી. સુરક્ષા પરિષદમાં બોલતા યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ, રાજદૂત પર્વતાનેની હરીશે કહ્યું કે આ ટિપ્પણીઓ અયોગ્ય હતી, અને પુનરોચ્ચાર કર્યો કે આ ક્ષેત્ર “ભારતનો અભિન્ન ભાગ હતો, છે અને હંમેશા રહેશે.”
રાજદૂત પાર્વથાનેની હરીશે કહ્યું, ‘પાકિસ્તાનના પ્રતિનિધિએ ફરી એકવાર ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર પર અયોગ્ય ટિપ્પણી કરી છે.’ આ રીતે વારંવારના ઉલ્લેખો કરવાથી તેમના ગેરકાયદેસર દાવાઓ કાયદેસર ઠરાવી શકાય નથી અને ન તો તેમના રાજ્ય-પ્રાયોજિત સરહદ પારના આતંકવાદને ન્યાયી ઠરાવી શકાય. તેમણે પાકિસ્તાનને સલાહ આપી કે તે તેના “સંકુચિત અને વિભાજનકારી એજન્ડા” ને આગળ વધારવા માટે મંચનું ધ્યાન “વિચલિત” કરવાનો પ્રયાસ ન કરે. તેમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાન જમ્મુ અને કાશ્મીરના કેટલાક ભાગોમાં “ગેરકાયદેસર રીતે કબજો” કરી રહ્યું છે અને તેણે “આ વિસ્તાર ખાલી કરવો” જોઈએ.સુરક્ષા પરિષદમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષાના ભવિષ્ય પર ચર્ચા દરમિયાન પાકિસ્તાની વડા પ્રધાનના ખાસ સહાયક સૈયદ તારિક ફાતમી દ્વારા જમ્મુ અને કાશ્મીર પર આપેલા નિવેદન બાદ હરીશનો આ પ્રતિભાવ આવ્યો છે. ભારતે કહ્યું છે કે તે પાકિસ્તાન સાથે સામાન્ય પડોશી સંબંધો ઇચ્છે છે, પરંતુ આ વાતને ભારપૂર્વક કહવામાં આવે છે કે આવા સંબંધો માટે આતંક અને દુશ્મનાવટ મુક્ત વાતાવરણ બનાવવાની જવાબદારી ઇસ્લામાબાદની છે.
હાલમાં જ એક પોડકાસ્ટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે પાકિસ્તાન સાથે શાંતિ સ્થાપિત કરવાના દરેક પ્રયાસનો સામનો દુશ્મનાવટ અને વિશ્વાસઘાત સાથે કરવામાં આવ્યો હતો. અમેરિકા સ્થિત પોડકાસ્ટર લેક્સ ફ્રિડમેન સાથેની વાતચીતમાં તેમણે યાદ કર્યું કે તેમણે 2014માં તેમના શપથ ગ્રહણ સમારોહ માટે તેમના પાકિસ્તાની સમકક્ષ નવાઝ શરીફને ખાસ આમંત્રણ આપ્યું હતું. તેમણે કહ્યું, ‘તે [આમંત્રણ] સદ્ભાવનાનો સંકેત હતો.’ આ એક એવો રાજદ્વારી સંકેત હતો જે દાયકાઓમાં ક્યારેય જોવા મળ્યો નથી. તેમણે આતંકવાદને પ્રોત્સાહન આપવામાં પાકિસ્તાનની લાંબા સમયથી ચાલતી ભૂમિકા પર પણ પ્રશ્ન ઉઠાવ્યો અને ભાર મૂક્યો કે વિશ્વને હવે કોઈ શંકા નથી કે આતંકવાદના મૂળ ક્યાં છે.
આ પણ વાંચો, Earthquake in New Zealand: ન્યુઝીલેન્ડમાં આવ્યો ભયંકર ભૂકંપ, 7ની તીવ્રતાથી ધરા ધણ ધણી ઉઠી