ભારતે મોટી પરમાણુ સફળતા હાંસલ કરીને રચ્યો ઈતિહાસ, પીએમ મોદીએ કહ્યું દેશ માટે ‘ગૌરવની ક્ષણ’

ભારત સિવિલ ન્યૂક્લિયર ઉર્જાના ક્ષેત્રમાં શક્તિશાળી દેશ બનવા તરફ એક ડગલું વધુ આગળ વધ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે, તમિલનાડુના કલ્પક્કમમાં ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા ડિઝાઈન અને નિર્મિત એડવાન્સ્ડ ન્યૂક્લિયર રિએક્ટર સફળતાપૂર્વક ‘ક્રિટીકેલિટી’ પર પહોંચી ગયું છે. આ સફળતા સાથે જ ભારત રશિયા પછી કોમર્શિયલ ફાસ્ટ બ્રીડર રિએક્ટર ચલાવનાર વિશ્વનો બીજો દેશ બનવા જઈ રહ્યો છે.

આ રિએક્ટરની સૌથી મોટી વિશેષતા એ છે કે તે પોતાની જરૂરિયાત કરતા પણ વધારે ઈંધણ ઉત્પન્ન કરી શકે છે. વડાપ્રધાન મોદીએ તેને ભારતની વૈજ્ઞાનિક ક્ષમતા અને એન્જિનિયરિંગ કૌશલ્યનું પ્રમાણ ગણાવ્યું છે. આ સફળતા ભારતના વિશાળ થોરિયમ ભંડારના ઉપયોગ માટેનો પાયો નાંખશે, જે ભારતના પરમાણુ કાર્યક્રમનો ત્રીજો અને સૌથી મહત્ત્વનો તબક્કો છે.

ભારત પાસે વિશ્વનો સૌથી મોટો થોરિયમનો જથ્થો છે. આ એડવાન્સ્ડ રિએક્ટરની સફળતા બાદ ભારત હવે પરદેશી યુરેનિયમ પર નિર્ભર રહેવાને બદલે પોતાના સંસાધનોથી ઊર્જા પેદા કરી શકશે. માર્ચ 2024માં પીએમ મોદીએ પોતે આ રિએક્ટરના ‘કોર લોડિંગ’નું નિરીક્ષણ કર્યું હતું, જેનું પરિણામ આજે ‘ક્રિટીકેલિટી’ સ્વરૂપે જોવા મળ્યું છે.

કેવી રીતે કરશે કામ
૧. આ રિએક્ટર યુરેનિયમનો ઉપયોગ કરીને વીજળી ઉત્પન્ન કરશે અને સાથે સાથે ‘પ્લુટોનિયમ’ પણ ઉત્પન્ન કરશે.

  1. ભવિષ્યમાં થોરિયમને બળતણમાં રૂપાંતરિત કરવા માટે આ જ પ્લુટોનિયમનો ઉપયોગ કરવામાં આવશે.
    ૩. એકવાર આપણે ત્રીજા તબક્કા (થોરિયમ આધારિત રિએક્ટર) પર પહોંચી જઈશું, પછી ભારતને આગામી ૨૫૦-૩૦૦ વર્ષ સુધી વીજળીની જરૂરિયાતો માટે બીજા કોઈ દેશ તરફ જોવાની જરૂર રહેશે નહીં.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને રાહત, વિપક્ષનો મહાભિયોગ પ્રસ્તાવ રાજ્યસભામાં નામંજૂર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *