સુરતમાં ધો-12 સાયન્સની વિદ્યાર્થિનીએ જીવન ટૂંકાવ્યું, પરિજનો સૂતા હતા અને…

સુરતથી ફરી એકવાર આપઘાતના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતી ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી 17 વર્ષીય વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હોવાનું સામે આવ્યું છે. આ તરફ ઘટનાને લઈ પરિવારજનો સહિત પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતી ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી 17 વર્ષીય વિદ્યાર્થીનીએ અચાનક મોતને વ્હાલું કરી દેતાં પરિજનો શોકમગ્ન બન્યા છે. પ્રાથમિક માહિતી મુજબ ઘટના સમયે પરિવારના સભ્યો ઘરમાં હાજર હતા પરંતુ તેમને કોઈ અણસાર નહોતો. આ તરફ ઘટના પાછળનું ચોક્કસ કારણ હાલ સુધી સ્પષ્ટ થયું નથી, જેના કારણે અનેક પ્રશ્નો ઊભા થયા છે. વિદ્યાર્થીની અભ્યાસમાં હોશિયાર હતી અને ભવિષ્ય માટે સપનાઓ ધરાવતી હતી, તેમ પરિવારજનો અને ઓળખીતાઓ જણાવે છે.

નોંધનીય છે કે, ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતદેહને જરૂરી તબીબી પ્રક્રિયા માટે ખસેડવામાં આવ્યો છે અને પોલીસે અકસ્માત મોત તરીકે નોંધ કરી સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *