‘PM મોદીના નેતૃત્વમાં ગુજરાત ભારતનું ગ્રોથ એન્જીન’, સ્વતંત્રતા સમારોહમાં બોલ્યાં CM ભૂપેન્દ્ર પટેલ

Oplus_131072

ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી અમરેલી ખાતે કરવામાં આવી છે. અહીંના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા મુખ્ય સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સન્માનપૂર્વક રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરાવ્યું હતું. સ્વાતંત્ર્ય પર્વના આ ઐતિહાસિક પ્રસંગે સમગ્ર અમરેલી જિલ્લો દેશભક્તિના રંગે રંગાયેલો જોવા મળ્યો હતો જે પછી પોલીસની ભવ્ય પરેડ યોજાઈ હતી.

ધ્વજવંદન બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે પ્રવચન આપ્યું હતું. સમારોહમાં હાજર લોકોને સંબોધતા સીએમે કહ્યું કે એક સમય હતો કે ભારતની વાત ભાગ્યે જ કોઈ કરતાં હવે ભારતના પીએમ શું કરવાના વિશ્વની નજર તેની પર રહે છે. સોમનાથ મંદિરમાં 75 વર્ષ પૂર્ણ થવાના અવસરની પણ આ વર્ષે ઉજવણી થઈ રહી છે, વિકાસ સાથે પર્યાવરણ જાળવણીનો અભિગમ પણ આપણે અપનાવ્યો છે. સીએમે વધુમાં કહ્યું કે ગુજરાતના બંદરો માત્ર ગુજરાતના નહી દેશના પણ છે જેમાં 40 ટકા ભાગીદારી આપી રહ્યા છે. વિકાસ માત્ર શહેર પૂરતો નથી, ગ્રામ્ય સુધી પણ પહોંચ્યા છે.

સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 25 વર્ષ થી ગુજરાત ભારતનું ગ્રોથ એન્જીન બન્યું છે અને શહેરો અને ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે લોકલ ફોર વોકલ સંતુલિત વિકાસ કરવામાં આવી રહ્યો છે તેમજ વરસાદી પાણીથી ભૂગર્ભ જળ ઉંચા આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *