ગુજરાત બજેટ 2026:નાણામંત્રી કનુ દેસાઈએ બજેટમાં ખેડૂતો માટે કરી અનેક જાહેરાતો, જાણો અહીં

ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કરી રહ્યા છે. નાણામંત્રીએ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. નાણામંત્રી કનુ દેસાએ કહ્યું કે, ખેતી અને ખેડૂત કલ્યાણને પ્રાથમિકતા આપતા બજેટમાં અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે. કૃષિ યાંત્રિકીકરણને પ્રોત્સાહન આપવા ટ્રેક્ટર, હાર્વેસ્ટર સહિતના સાધનો માટે ₹1565 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. કુદરતી આફતો સમયે ખેડૂતોને રાહત મળે તે માટે કૃષિ રાહત પેકેજ હેઠળ ₹11,000 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. ટેકાના ભાવે ખરીદી અંતર્ગત 9.50 લાખ ખેડૂતો પાસેથી અંદાજે ₹18,000 કરોડની કૃષિ ઉપજ ખરીદવામાં આવી છે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માર્કેટિંગ અને પ્રમાણપત્ર સહાય માટે ₹39 કરોડ ફાળવવામાં આવ્યા છે. ઉપરાંત વિવિધ પાકોને ધ્યાનમાં રાખીને 6 નવા ‘સેન્ટર ઓફ એક્સલન્સ’ સ્થાપવાના પણ એલાન કરવામાં આવ્યા છે.
- ખેડૂતોને ખેતીક્ષેત્રે થતો ખર્ચ ઘટાડવા તેમજ પાક ઉત્પાદન અને આવક વધારવા યાંત્રિકીકરણનું મહત્વ છે. ટ્રેકટર, પાવરટીલર, સીડડ્રીલ, હાર્વેસ્ટર જેવા યંત્રો દ્વારા ખેતીકામમાં ઝડપ અને ચોકસાઇ આવે છે. નાના-સીમાંત સહિતના ખેડૂતો માટે કૃષિ યાંત્રિકીકરણના વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય આપવા ₹1565 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
- વધુમાં વધુ ખેડૂતો પાકૃતિક ખેતી અપનાવે તે માટે સરકાર પ્રતિબદ્ધ છે. જેનો વ્યાપ વધારી પ્રોત્સાહન આપવા સેન્ટર ઓફ એક્સલન્સ ઊભા કરવા, બજાર સુવિધા ઉપલબ્ધ કરાવવા, માર્કેટિંગ અને બ્રાન્ડ પ્રમોશન તથા હેન્ડ હોલ્ડિંગ અને સર્ટીફિકેશન સહાય માટે ₹39 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
- રાજ્યમાં ડાંગર, કઠોળ, તેલીબિયાં, ફાર્મ મિકેનાઇઝેશન, વેલ્યુ એડીશન અને એગ્રો પ્રોસેસિંગ માટે 6 સેન્ટર ઓફ એક્સલન્સ કેન્દ્ર ઊભા કરવાનું આયોજન છે. જેના માટે ₹12 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
વર્ષ 2026-27નું બજેટ
- પ્રધાનમંત્રી આવાસ યોજના માટે બજેટમાં રૂ. 4272 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- સામાજિક નિગમો માટે બજેટમાં રૂ. 896 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- રાજ્યમાં નવી આંગણવાડી માટે રૂ. 360 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- આરોગ્યમાં પ્રધાનમંત્રી આરોગ્ય અને માં અમૃતમ યોજના માટે રૂ. 3472 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- ગાંધીનગરમાં નમો લાઇબ્રેરી સ્થપાશે.
- રૂ. 100 કરોડના ખર્ચે નામો લાઇબ્રેરી બનાવાશે.
- કૌશલ્ય અને રોજગાર મિશન માટે રૂ. 226 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- મત્સ્યોધ્યોગ માટે રૂ. 1340 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- કિસાન ક્રેડિટ કાર્ડમાં વ્યાજ સહાય આપવા બજેટમાં રૂ. 1539 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- ITI કરતી મહિલાઓ માટે નવી યોજના નમો કૌશલ્ય લક્ષ્મી યોજના માટે રૂ. 40 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- રાજ્યના મહત્વના સ્થળોને જોડતા અને દ્વારકા સોમનાથ એક્સપ્રેસ હાઈવે માટે રૂ. 300 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- રાજ્યના શહેરી વિસ્તારોમાં વીજવાયરો અંડર ગ્રાઉન્ડ કરવા રૂ. 500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- અમદાવાદને ઓલિમ્પિક રેડી સિટી બનાવવા રૂ. 1278 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- રાજ્યમાં 5 નવા સેટેલાઇટ ટાઉન વિકસાવવામાં આવશે. કલોલ, સાણંદ, સાવલી, બારડોલી અને હીરાસર બનશે સેટેલાઇટ ટાઉન.
- અંબાજીના વિકાસ માટે અંબાજી કોરિડોર માટે રૂ. 300 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- વર્ષ 2026ને પ્રવાસન વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે.
- સોમનાથ અને શિવરાજપુરના વિકાસ માટે રૂ. 60 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.