જિયોસ્ટાર 1100 કર્મચારીઓને નોકરીમાંથી કાઢશે, જર્મનીમાં DHL કરશે 8000 કર્મચારીઓની છટણી

જિયોસ્ટાર 1100 કર્મચારીઓની છટણી કરવાની યોજના ધરાવે છે. નવેમ્બર 2024માં તેની પેરન્ટ કંપની વાયાકોમ18નું વોલ્ટ ડિઝની સાથે વિલીનીકરણ થયું હતું. આના કારણે કેટલાક વિભાગોમાં કર્મચારીઓની સંખ્યામાં વધારો થયો છે. જોકે, જેમને કાઢી મૂકવામાં આવશે તેમને છ મહિનાથી એક વર્ષ સુધીનો પગાર આપવામાં આવશે. મિન્ટના અહેવાલમાં આ જાણકારી આપવામાં આવી હતી.

મર્જર પછી પુનર્ગઠનના ભાગ રૂપે કંપનીમાં છટણી ફેબ્રુઆરીમાં શરૂ થઈ હતી અને જૂન સુધી ચાલુ રહેશે. કંપની વિતરણ, નાણાં, કોમર્શિયલ અને કાનૂની વિભાગોમાંથી બિનજરૂરી લોકોને દૂર કરશે.જો કોઈ કર્મચારી એક વર્ષ પહેલા કંપનીમાં જોડાયો હોય તો તેને એક મહિનાનો સંપૂર્ણ પગાર મળશે. બાકીના કર્મચારીઓને પણ તે મુજબ મળશે. એક થી ત્રણ મહિનાની નોટિસ આપવામાં આવશે.

મર્જર પછી Jio દેશનું સૌથી મોટું મનોરંજન નેટવર્ક બની ગયું છે. આ કરાર 70,352 કરોડ રૂપિયામાં થયો હતો. ડિઝની-રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટના દર્શકો હવે 750 મિલિયન છે. રિલાયન્સે આ સંયુક્ત સાહસ માટે 11,500 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

DHL આ વર્ષે જર્મનીમાં લગભગ 8,000 લોકોની છટણી કરશે. કંપની 2027 સુધીમાં એક અબજ યુરો બચાવવાની યોજના બનાવી રહી છે અને આ નિર્ણય એ જ વ્યૂહરચના હેઠળ લેવામાં આવ્યો છે. DHL ના મુખ્ય કાર્યકારી અધિકારી ટોબિયાસ મેયરે જણાવ્યું હતું કે કુલ કર્મચારીઓમાંથી એક ટકા કર્મચારીઓની છટણી કરવામાં આવશે.

ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતોએ મિન્ટને જણાવ્યું હતું કે “જ્યારે બે મોટી કંપનીઓનું મર્જર થાય છે ત્યારે પદોનું ડુપ્લિકેશન ઘટાડવા માટે છટણી અનિવાર્ય બની જાય છે,” આ રિસ્કંસ્ટ્રક્ટિંગ સોર્સિસને વધુ સારી રીતે ઉપયોગ કરવા અને કંપનીને વધુ કાર્યક્ષમ બનાવવા માટે કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો, ગુજરાત મુખ્યમંત્રી કાર્યાલયને ISO 9001:2015 સર્ટિફિકેશન, 2009થી સતત ISO પ્રમાણપત્ર મેળવતુ દેશનું એકમાત્ર રાજ્ય

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *