રક્ષાબંધન પહેલા કેંદ્રીય કર્મચારીઓને મળશે મોટી ભેટ, DA માં આટલો વધારો થવાની શક્યતા 

રક્ષાબંધન પહેલા સરકાર કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપી શકે છે. એવો અંદાજ છે કે જુલાઈ-ડિસેમ્બર 2025 ના સમયગાળા માટે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો થઈ શકે છે. આ સાથે તે હવે વર્તમાન 55 ટકાથી વધીને 58 ટકા થઈ શકે છે. સામાન્ય રીતે સરકાર વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થામાં સુધારો કરે છે, જેની સત્તાવાર જાહેરાત પછીથી કરવામાં આવે છે. સરકારી કર્મચારીઓને DA આપવામાં આવે છે, જ્યારે DR (મોંઘવારી રાહત) પેન્શનરોને આપવામાં આવે છે.

AICPI-IW ડેટા અનુસાર, DA આટલો વધારો કરી શકે છે

સામાન્ય રીતે સરકાર તેના કર્મચારીઓના પગારની સમીક્ષા કરવા અને તેને સુધારવા માટે દર 10 વર્ષે પગાર પંચની રચના કરે છે. 7મું પગાર પંચ 31 ડિસેમ્બર 2025 ના રોજ સમાપ્ત થઈ રહ્યું છે, જે 1 જાન્યુઆરી 2016 થી અમલમાં આવ્યું હતું. હવે દરેક વ્યક્તિ 8મા પગાર પંચની રચનાની રાહ જોઈ રહ્યા છે, જે 1 જાન્યુઆરી, 2026 થી લાગુ થવાની ધારણા છે.

સરકાર વર્ષમાં બે વાર ડીએમાં વધારો કરે છે જેથી કર્મચારીઓના પગારમાં પણ વધતી જતી ફુગાવા અનુસાર ગોઠવણ કરી શકાય. જાન્યુઆરીમાં ડીએમાં 2 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો, જે 5 ટકાથી વધીને 55   ટકા થયો હતો. હવે જૂનમાં ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રિયલ વર્કર્સ (AICPI-IW) ના ડેટા પછી, તેમાં 3 ટકાનો વધારો થવાની શક્યતા છે.

ડીએ ફોર્મ્યુલા મુજબ ગણતરી પર, ડીએમાં 58.18  ટકાનો વધારો થવાની શક્યતા છે. સરકારની જાહેરાત પછી ડીએ પગારમાં ઉમેરવામાં આવે છે. સામાન્ય રીતે તેની જાહેરાત તહેવારોની મોસમ પહેલા કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, આ વખતે પણ ડીએ વધારાની જાહેરાત ઓક્ટોબરમાં દિવાળીની આસપાસ થઈ શકે છે. 

DA 1 જુલાઈ, 2025 થી લાગુ માનવામાં આવશે, પરંતુ કેન્દ્ર સરકાર સામાન્ય રીતે તહેવારો પહેલા જ સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં તેની જાહેરાત કરે છે. જુલાઈ-ડિસેમ્બર 2025 નો આ DA વધારો 7 મા પગાર પંચ હેઠળ સૂચવવામાં આવેલો છેલ્લો વધારો હશે, જેની મુદત 31 ડિસેમ્બર, 2025 ના રોજ સમાપ્ત થાય છે. જ્યારે પણ સરકાર DA વધારાની જાહેરાત કરશે, ત્યારે તે ફક્ત 1 જુલાઈથી જ લાગુ માનવામાં આવશે. ઉપરાંત, 8મા પગાર પંચની રચનાની પ્રક્રિયા પણ ઝડપી થવાની ધારણા છે.            

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *