અરવિંદ કેજરીવાલ પર ચાલશે કેસ, ગૃહમંત્રાલયે EDને આપી મંજૂરી

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દિલ્હી દારૂ કૌભાંડ સંબંધિત કથિત મની લોન્ડરિંગ કેસમાં અરવિંદ કેજરીવાલ સામે કાર્યવાહી કરવા માટે EDને મંજૂરી આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મંત્રાલયે મનીષ સિસોદિયા સામે કેસ દાખલ કરવાની મંજૂરી પણ આપી દીધી છે. ગયા વર્ષે નવેમ્બરમાં સુપ્રીમ કોર્ટે એક આદેશ આપ્યો હતો અને કહ્યું હતું કે જાહેર સેવક પર કેસ ચલાવવા માટે સત્તાધિકારી પાસેથી પરવાનગી લેવી પડશે.
ED એ અરવિંદ કેજરીવાલને દારૂ કૌભાંડના માસ્ટરમાઈન્ડ ગણાવ્યા હતા. EDએ તેમને કાવતરાખોર અને મુખ્ય સૂત્રધાર ગણાવ્યા હતા. ED એ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ચાર્જશીટ પણ દાખલ કરી છે, જેની સામે કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો અને કહ્યું હતું કે ચાર્જશીટ પર સંજ્ઞાન લેવા પર રોક લગાવવી જોઈએ.