ગુજરાતમાં નકલી નોટ છાપવાના સૌથી મોટા કૌભાંડનો પર્દાફાશ : સદગુરુ પ્રદીપના આશ્રમમાં છપાયેલી 2 કરોડની નકલી નોટ પકડાઈ

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાંથી બે કરોડની નકલી નોટ ઝડપાઈ છે. સત્યમ યોગ ફાઉન્ડેશનની ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા લખેલી ગાડીમાં નકલી નોટોની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. ક્રાઈમ બ્રાન્ચે દરોડા પાડતાં કારમાંથી નકલી નોટનો જથ્થો મળી આવ્યો છે. જેમાં પોલીસે એક મહિલા સહિત 6 આરોપીઓની ધરપકડ કરી છે. 500ના દરની 2.10 કરોડ રૂપિયાની બનાવટી નોટ જપ્ત કરાઈ છે. આ તમામ નકલી નોટ સુરતના વરાછામાં છાપવામાં આવતી હોવાનો ખુલાસો થયો છે. સદગુરૂ પ્રદીપના આશ્રમમાં નકલી છપાતી હતી. પોલીસે પ્રદીપની અટકાયત કરી હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી છે. કામરેજના ધોરણ પારડીના તાપી કિનારે સદગુરૂ પ્રદીપનું ભવ્ય આશ્રમ આવેલું છે. 

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નકલી નોટો પડાવવા મામલે મોટો ખુલાસો થયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અમરાઈવાડી વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. એક ફોર્ચ્યુનર કારમાંથી નકલી નોટોના મોટા જથ્થો મળી આવ્યો હતો. જેમાં એક મહિલા સહિત કુલ ૬ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે કારમાંથી 500 ના દરની અંદાજે ૨ કરોડ રૂપિયાથી પણ વધુની કિંમતની બનાવટી ભારતીય ચલણી નોટો મળી આવી છે. જપ્ત કરાયેલી નોટોનો આંકડો ઘણો મોટો હોવાથી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હાલ નોટોની ગણતરી અને પંચનામાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ નકલી નોટો ક્યાં છાપવામાં આવી હતી અને બજારમાં કઈ જગ્યાએ વટાવવાની હતી, તે મામલે મોટો પર્દાફાશ થયો છે. તપાસમાં સામે આવ્યું કે, સુરતના સત્યમ યોગ ફાઉન્ડેશનની ગાડીમાં નકલી નોટોની હેરાફેરી થતી હતી. નોટોની સપ્લાય માટે કારમાં આયુષ મંત્રાલય લખેલી કારનો ઉપયોગ કરાતો હતો. ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા લખેલી ગાડીમાં જ નકલી નોટોની હેરાફેરી થતી હતી. ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ અને સુરતમાં મોટી કાર્યવાહી કરીને નકલી નોટ જપ્ત કરી છે. જેમાં અમદાવાદથી 2.10 કરોડની નકલી નોટ પકડાઈ છે. તો સુરતમાં 80 લાખની નોટો કબ્જે કરાઈ છે. ક્રાઈમ બ્રાચે 6 ની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

સુરતના વરાછા નોટો છાપવાનું પ્રિન્ટીંગ મશીન પણ કબ્જે કરાયું છે. સુરતમાં જ્યાં નોટ ચાલવામાં આવી હતી ત્યાં પણ કાર્યવાહી કરવામાં આવી છે. મોટો ખુલાસો એ છે કે, સત્યમ યોગ ફાઉન્ડેશન સદગુર પ્રદીપજી નામે યુવક ચલાવે છે. પ્રદીપ ગુરુજી તરીકે તે ફેમસ છે. જે અગાઉ રાજકોટ રહેતો હતો. પ્રદીપ ગુરુજી રાજકોટમાં પટેલ ફાઉન્ડેશનના નામથી યોગ ક્લાસ ચલાવતો હતો. થોડા વર્ષોથી પ્રદીપ ગુરુજી સુરતમાં યોગ આશ્રમ ચાલુ કર્યો હતો. 

ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ૨.૧૦ કરોડની નકલી નોટ જપ્ત કરવાનો મામલે નવા ખુલાસા થયા છે કે, જપ્ત કરેલી ફોર્ચ્યુનર કાર પ્રદીપ જોટંગિયાના નામના વ્યક્તિની હોવાનું સામે આવ્યું છે. જપ્ત કરેલી ફોર્ટ્યુનર કારમાં લાકડાની ચાકડી મળી આવી છે. ગાડીમાં અન્ય કોણ હતું અને કોની ચાકડી છે તે અંગે અનેક સવાલો ઉભા થયા છે. 

તપાસમાં જાણવા મળ્યુ કે, સત્યમ યોગ ફાઉન્ડેશનમાં નકલી નોટ છાપવાનું રેકેટ ચાલતું હતું. કામરેજના ધોરણ પારડી તાપી કિનારે સદગુર પ્રદીપનું ભવ્ય આશ્રમ આવેલું છે. સદ્ગુરુ પ્રદીપના આશ્રમમાં નકલી નોટ છપાતી હતી. તેથી પોલીસે સદગુરુ પ્રદીપની અટકાયત કરી હોવાની વાત પણ સામે આવી છે.  

જપ્ત કરાયેલી નોટોનો આંકડો ઘણો મોટો હોવાથી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હાલ નોટોની ગણતરી અને પંચનામાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ નકલી નોટો ક્યાં છાપવામાં આવી હતી અને બજારમાં કઈ જગ્યાએ વટાવવાની હતી તે દિશામાં પોલીસ આરોપીઓની સઘન પૂછપરછ કરી રહી છે. હાલ કામરેજના ધોરણ પારડી ગામે આવેલ આશ્રમ પર સન્નાટો છવાયો છે. 

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: લિવ ઈનમાં રહેતી માતા માનવતા ભૂલી : બે વર્ષની માસુમ દીકરીને ઢોર માર મારી મોત આપ્યું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *