Delhi: દિલ્હી હાર્યા બાદ AAPમાં મોટા ફેરબદલ, ગોપાલરાય ગુજરાતના પ્રભારી; સૌરભને દિલ્હીની કમાન

આમ આદમી પાર્ટીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં સત્તા ગુમાવ્યા બાદ હવે પાર્ટીમાં મોટા ફેરફારો કર્યા છે. પાર્ટીએ ભૂતપૂર્વ ધારાસભ્ય સૌરભ ભારદ્વાજને દિલ્હી અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. અગાઉ આ જવાબદારી બાબરપુરના ધારાસભ્ય ગોપાલ રાય નિભાવી રહ્યા હતા.

જણાવી દઈએ કે રાજધાની દિલ્હીમાંથી સરકાર ગયા પછી આમ આદમી પાર્ટીમાં સંગઠનાત્મક સ્તરે આ પરિવર્તન ખૂબ જ મહત્વપૂર્ણ છે. દિલ્હી ઉપરાંત, અન્ય ઘણા રાજ્યોમાં પણ ફેરફારો કરવામાં આવ્યા છે. પાર્ટીએ દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અને AAPના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાને પંજાબના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે.

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંદીપ પાઠકે જણાવ્યું હતું કે આજે પાર્ટીની રાજકીય બાબતોની સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. આમાં ગોપાલ રાયને ગુજરાતના પ્રભારી બનાવવામાં આવ્યા. જ્યારે પંકજ ગુપ્તાને ગોવાના પ્રભારી બનાવવામાં આવ્યા છે. સંદીપ પાઠક છત્તીસગઢનો પ્રભારી બનાવવામાં આવ્યા છે. મેહરાજ મલિકને પાર્ટીના જમ્મુ અને કાશ્મીર એકમના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો, PM Modi: PM મોદીની 32 મહિનામાં 38 વિદેશ યાત્રા, 258 કરોડ રૂપિયાનો થયો ખર્ચઃ સરકારે રજૂ કર્યો હિસાબ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *