અમદાવાદ: ચાંદખેડામાં બે માસૂમ બાળકીઓના મોત મામલે નવો વળાંક; FSL રિપોર્ટમાં કંઈ વાંધાજનક ન મળતા રહસ્ય ઘેરાયું

ચાંદખેડા વિસ્તારમાં ખીરુંના ઢોસા ખાધા બાદ બે માસૂમ બાળકીઓ, રાહા અને મિસ્ટીના મોતના કેસે સમગ્ર શહેરમાં ચકચાર મચાવી હતી. આ મામલે લેબોરેટરીમાં મોકલવામાં આવેલા સેમ્પલ્સનો FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) રિપોર્ટ સામે આવી ગયો છે. જોકે, આ રિપોર્ટ બાદ તપાસ વધુ જટિલ બની હોય તેમ લાગી રહ્યું છે.FSL રિપોર્ટમાં કાંઈ પણ શંકાસ્પદ મળી આવ્યું નથી. રિપોર્ટમાં કંઈ વાંધાજનક ન મળતા હવે પોલીસ તપાસ અટવાઈ છે.
બાળકીઓના માતા-પિતા વિમલભાઈ અને ભાવનાબેનને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ 13મી એપ્રિલે બપોરે 2 વાગ્યાથી મોડી રાત સુધી ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં સઘન પૂછપરછ કરવામાં આવી હતી. જોકે, પૂછપરછ દરમિયાન માતા-પિતાએ એક જ વાતનું રટણ ચાલુ રાખ્યું હતું કે ખીરું ખાધા બાદ જ બાળકીઓની તબિયત બગડી હતી અને તેમના મોત થયા હતા. પોલીસે ખીરું વેચનાર વેપારીઓની પણ પૂછપરછ કરી હતી જેથી એ જાણી શકાય કે ખીરું ક્યાંથી આવ્યું હતું અને તેમાં કોઈ ભેળસેળ હતી કે કેમ.
આ ઘટના અંગે ચાંદખેડા પોલીસના જણાવ્યાનુસાર, તપાસ દરમિયાન પોલીસને એક ડાયરી મળી આવી હતી જેમાં પુત્ર પ્રાપ્તિ અંગેની વાતો લખેલી હતી. આ અંગે માતા ભાવનાબેનની પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે, ‘મને પહેલેથી જ એક દીકરી હતી, તેથી જો બીજું બાળક દીકરો આવે તો પરિવાર પૂર્ણ થાય તેવી દરેક મધ્યમવર્ગીય પરિવાર જેવી એક સામાન્ય ઈચ્છા હતી. આ બાબતને કોઈ અંધશ્રદ્ધા કે અન્ય શંકાસ્પદ એન્ગલ સાથે અત્યારે સાંકળવામાં આવી નથી.’
ત્યારે FSL રિપોર્ટમાં કંઈ વાંધાજનક ન મળતા હવે પોલીસ તપાસ અટવાઈ છે. બંને બાળકીઓના મોત કેવી રીતે થયા? તે પોલીસ માટે મોટો પડકાર બની ગયો છે.
આજે સમગ્ર ગુજરાતમાં Akhil Bharatiya Vidyarthi Parishad દ્વારા Gujarat Common Admission System સામે વ્યાપક વિરોધ પ્રદર્શન યોજાયું હતું-https://www.instagram.com/reel/DXOxaO6jGzV/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: દેશનો સૌથી મોટો IPO લાવાની તૈયારીમાં મુકેશ અંબાણી, મે મહિનામાં થઈ શકે છે મોટી જાહેરાત, જાણો ડિટેલ