Ministry of Finance: શું હવે UPI પેમેન્ટ પર લાગશે વધારાનો ચાર્જ? નાણા મંત્રાલયે આપ્યો જવાબ

આજે ડિજિટલ પેમેન્ટ માટે UPI સૌથી વધુ લોકપ્રિય છે. તેના આવવાની સાથે લોકોનું જીવન ઘણું સરળ બન્યું છે. પરંતુ ઘણીવાર સોશિયલ મીડિયા અને અન્ય પ્લેટફોર્મ પર આવી વાતો સામે આવતી રહે છે કે દુકાનદારો UPI દ્વારા રિસીવ અથવા પેમેન્ટ કરવા પર એક્સ્ટ્રા ચાર્જ વસૂલવાની તૈયારી કરી રહ્યા છે.

જ્યારથી આ સમાચાર સોશિયલ મીડિયા પર આવ્યા છે ત્યારથી તે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. જોકે, હવે સરકારે પોતે જ આ અંગે સ્પષ્ટતા કરી છે. નાણા મંત્રાલયે સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી છે અને લખ્યું છે કે સરકાર ઓનલાઈન પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે પરંતુ તમામ પ્રકારની અફવાઓ બંધ કરવી જોઈએ.

નાણા મંત્રાલયે પોતાની પોસ્ટમાં વધુમાં કહ્યું હતું કે આ પ્રકારે બિનજરૂરી બાબતો ફેલાવીને પેનિક ક્રિએટ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે જૂનમાં વિઝા ટ્રાન્જેક્શન UPI દ્વારા વધુ ટ્રાન્જેક્શન કરવામાં આવ્યા છે. વર્ષ 2025માં 1 જૂને UPIથી ટ્રાન્જેક્શન 64.4 કરોડ હતો અને બીજા દિવસે તે પણ 65 કરોડને પાર કરી ગયો. જોકે, એક વર્ષ પહેલા એટલે કે નાણાકીય વર્ષ 2025માં 64 કરોડ UPI ટ્રાન્જેક્શન થયા હતા.

PM મોદીના નેતૃત્વ હેઠળની NDA સરકારના 11 વર્ષ પૂર્ણ થવા પર બહાર પાડવામાં આવેલી એક પુસ્તિકામાં જણાવાયું છે કે ભારતની ડિજિટલ ચુકવણી પ્રણાલી વૈશ્વિક સ્તરે વિવિધ દેશો સાથે જોડાયેલી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ‘ભારતમાં ડિજિટલ ચુકવણી ક્રાંતિએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. માર્ચ 2025માં યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) પર લગભગ 24.77 લાખ કરોડ રૂપિયાના 1,830.151 કરોડ UPI ટ્રાન્જેક્શન કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો, Ahmedabad: આસામની યુવતીનું શંકાસ્પદ મોત, ઘાટલોડિયામાં લીવ ઇનમાં રહેતી હતી

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *