Surat: ઉમરપાડામાં હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત, ઈજાનાં નિશાન મળતાં પરિવારનો હત્યાનો આક્ષેપ

સુરત જિલ્લાના ઉમરપાડા ખાતે આવેલી આદર્શ નિવાસી કન્યા શાળામાં 14 વર્ષીય વિદ્યાર્થિની યશ્વી વસાવાનું શંકાસ્પદ હાલતમાં મોત થઈ ગયું છે. ગત રાત્રે (3 એપ્રિલ, 2025) માથાના દુખાવાની દવા પીધા બાદ સવારે 4 વાગ્યે બેભાન હાલતમાં બાથરૂમ પાસેથી મળી આવી હતી. જો કે વિદ્યાર્થિની ભાનમાં ન આવતા સુરત સિવિલ ખાતે લઈ જવાઈ હતી. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી.

આ ઘટના અંગે હોસ્ટેલના વોર્ડને પરિવારને જાણ કરતા તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતાં. વિદ્યાર્થિનીના શરીરે ઈજાનાં નિશાન હોવાથી પરિવાર દ્વારા હત્યા થયાની આશંકા સેવવામાં આવી રહી છે. હાલ સુરત સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ હાથ ધરાયું છે. વિદ્યાર્થિનીના મોતનું સાચું કારણ રિપોર્ટ બાદ સામે આવશે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, સુરત જિલ્લાના ઉમરપાડાની આદર્શ નિવાસી કન્યાશાળામાં 14 વર્ષીય યશ્વી અશ્વિનભાઈ વસાવા ધોરણ નવમાં અભ્યાસ કરતી હતી અને ત્યાં જ હોસ્ટેલમાં રહેતી હતી. યશ્વીના પરિવારમાં માતા-પિતા, ભાઈ અને બહેન છે. 3 એપ્રિલની રાત્રે માથાનો દુખાવો થતો હોવાથી હોસ્ટેલમાંથી તેને દવા આપવામાં આવી હતી અને તેણે પીધી હતી. સવારે ચાર વાગ્યે આસપાસ યશ્વી તેના રૂમમાં ન હોવાથી સાથી મિત્રો દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ સાથે હોસ્ટેલના સંચાલકોને પણ જાણ કરી દેવામાં આવી હતી.

યશ્વીની શોધખોળ કરતા સમયે તે બાથરૂમ પાસે બેભાન હાલતમાં મળી આવી હતી. ત્યાર બાદ તેના પરિવારને જાણ કરવામાં આવી હતું. જેથી તેની મમ્મી અને કાકા બંને બાઈક પર હોસ્ટેલ પહોંચ્યાં હતાં. ત્યારબાદ બેભાન હાલતમાં જ યશ્વીને લઈને બાઈક પર ઉમરપાડા સરકારી હોસ્પિટલ પહોંચ્યાં હતાં. જ્યાં તેની હાલત ગંભીર હોવાથી માંડવી મોકલવામાં આવ્યાં હતાં અને ત્યાંથી બારડોલી રિફર કર્યા હતા. બારડોલી ખાતે તેની હાલત ગંભીર હોવાની અને સુરત સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવે તો બસવાની શક્યતા હોવાથી 108માં સુરત સિવિલ લઈ આવ્યાં હતાં.

યશ્વીને 108માં સુરત સિવિલ લાવવામાં આવતા થોડી ક્ષણોમાં જ સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું. દીકરીના મોતના પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ સાથે પરિવારજનોને યશ્વીના શરીર પર ઈજાનાં નિશાનો પણ મળી આવ્યાં હતાં, જેથી પરિવારજનોએ હત્યાની શંકા વ્યક્ત કરી હતી. તમામ અંગે જાણ થતાં પોલીસ પણ સુરત સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી. પરિવારજનો દ્વારા પોલીસ સમક્ષ યશ્વીની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.

યશ્વીની માતા સંગીતાબેને જણાવ્યું હતું કે, હોસ્ટેલમાંથી તમારી દીકરી બેભાન થઈ ગઈ છે તેવું કહેવામાં આવતા અમે તેને બાઈક પર હોસ્પિટલ લઈ ગયાં હતાં. બે હોસ્પિટલ બાદ સિવિલ લાવતા તેનું મોત થયું હતું. યશ્વીના શરીર પર માર માર્યો હોય તેવી ઇજાનાં નિશાન પણ છે. જેથી તેને હોસ્ટેલમાં માર મારવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. પરિવારના આક્ષેપોના પગલે સુરત સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું છે. રિપોર્ટ આવ્યા બાદ જ યશ્વીના મોતનું સાચું કારણ સામે આવશે.

આ પણ વાંચો, Ahmedabad: ગતરાડમાં ટ્રાન્સપોર્ટના ફેરાઓને લઈ વિવાદ, 6 શખ્શો લાકડીઓ લઈ યુવાન પર તૂટી પડ્યા

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *