ચૂંટણીઓ પહેલાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો:AAP સાંસદ રાઘવ ચઢ્ઢા સહિત 7 રાજ્યસભાના સાંસદો ભાજપમાં જોડાશે,કહ્યું- પાર્ટી લક્ષ્યથી ભટકી ગઈ

રાઘવ ચઢ્ઢાએ AAP છોડવાની જાહેરાત કરી દીધી છે. તેમણે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે પાર્ટીના બે-તૃતીયાંશ સાંસદો સાથે ભાજપમાં જોડાઈ રહ્યો છું.

તેમણે કહ્યું કે જે આમ આદમી પાર્ટીને મેં મારા લોહી-પરસેવાથી સિંચી હતી. તે પાર્ટી પોતાના લક્ષ્યોથી ભટકી ગઈ છે. આ પાર્ટી પોતાના અંગત ફાયદા માટે કામ કરી રહી છે.

સંદીપ પાઠક અને અશોક મિત્તલ સાથે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા AAP સાંસદ રાઘવ ચઢ્ઢાએ કહ્યું, “અમે આ નિર્ણય કર્યો છે કે અમે, એટલે કે રાજ્યસભામાં AAPના બે-તૃતીયાંશ સભ્યો, ભારતના બંધારણની જોગવાઈઓનો ઉપયોગ કરીને પોતાને BJPમાં ભેળવી દઈશું.”

રાઘવ ચઢ્ઢાએ કહ્યું- રાજ્યસભામાં આપના 10 સાંસદો છે, જેમાંથી બે-તૃતીયાંશ, એટલે કે 7 અમારી સાથે છે. તેમના નામ-

  • રાઘવ ચઢ્ઢા
  • સંદીપ પાઠક
  • રાજેન્દ્ર ગુપ્તા
  • વિક્રમ સાહની
  • સ્વાતિ માલીવાલ
  • હરભજન સિંહ
  • અશોક મિત્તલ

રાઘવે કહ્યું- હજુ પણ ઘણા લોકો છે જે સાથે આવશે. ભાજપમાં જોડાવાનું કામ આજે સાંજે થશે. ભારતનું બંધારણ આ જોગવાઈ આપે છે કે જો 2/3થી વધુ સાંસદો અન્ય કોઈ પક્ષમાં જોડાવા માંગતા હોય તો તેઓ તેમ કરી શકે છે. આ અધિકાર આપણને ભારતના બંધારણે જ આપ્યો છે.

છેલ્લા કેટલાક વર્ષોથી મને લાગતું હતું કે હું ખોટા પક્ષમાં સાચો વ્યક્તિ છું. તેથી આજે હું જાહેરાત કરું છું કે હું AAPથી દૂર થઈ રહ્યો છું અને જનતાની નજીક જઈ રહ્યો છું.

રાઘવ ચઢ્ઢાએ કહ્યું- રાજકારણમાં આવતા પહેલા, હું એક પ્રેક્ટિસિંગ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) હતો. આ મંચ પર મારી સાથે વિવિધ ક્ષેત્રોના લોકો હતા. કેટલાક વૈજ્ઞાનિકો હતા, તો કેટલાક શિક્ષણવિદો. આજે, AAP છોડનારાઓમાં એક વિશ્વ કક્ષાના ક્રિકેટર, એક પદ્મશ્રી વિજેતા અને ઘણા સામાજિક કાર્યકરો શામેલ છે. આ બધા લોકોએ પોતાનું સર્વસ્વ ત્યાગીને, ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનાવવાની પ્રતિજ્ઞા સાથે એકજુટ થઈને આ પક્ષની સ્થાપના કરી હતી.

હું આ પક્ષનો સ્થાપક સભ્ય હતો. કદાચ જ કોઈ મારા કરતાં આ વાતને વધુ સારી રીતે જાણતું હશે. અમે બધાએ મળીને, સંપૂર્ણ પ્રતિબદ્ધતા અને સમર્પણ સાથે, દિલ્હીમાં આ પક્ષને ઊભો કર્યો, પંજાબમાં તેને સ્થાપિત કર્યો. અન્ય રાજ્યોમાં પણ તેનો વિસ્તાર કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ આજે, મોટા દુઃખ, પીડા અને શરમ સાથે હું કહું છું કે જે પક્ષની રચના ભ્રષ્ટાચારને ખતમ કરવાની શપથ સાથે થઈ હતી, તે આજે ભ્રષ્ટ અને સમાધાનકારી લોકોના હાથમાં ખરાબ રીતે ફસાઈ ગયો છે.

Ahmedabadમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર દરમિયાન Indian National Congressની સભામાં એક વ્યક્તિએ કોંગ્રેસ અધ્યક્ષ-https://www.instagram.com/reel/DXglck4Dee7/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો:અમદાવાદ મહાનગર પાલિકા ચૂંટણીમાં પોલીસની લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે: 8 હજાર પોલીસ જવાનો રહેશે તૈનાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *