
અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ સ્થળો પર બોમ્બમારો કર્યો છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે અમેરિકન હુમલા બાદ ઈરાનના ત્રણ પરમાણુ સ્થળોનો નાશ કરવામાં આવ્યો છે. આ પછી ઈરાને રવિવારે કહ્યું કે અમેરિકન હવાઈ હુમલા પછી, ઇસ્ફહાન, ફોર્ડો અને નતાન્ઝ સ્થિત તેના પરમાણુ સ્થળોએ રેડિયેશન લીકેજના કોઈ સંકેત મળ્યા નથી.
અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ સ્થળો પર બોમ્બમારો કર્યો છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે અમેરિકન હુમલા બાદ ઈરાનના ત્રણ પરમાણુ સ્થળોનો નાશ કરવામાં આવ્યો છે. આ પછી ઈરાને રવિવારે કહ્યું કે અમેરિકન હવાઈ હુમલા પછી ઇસ્ફહાન, ફોર્ડો અને નતાન્ઝ સ્થિત તેના પરમાણુ સ્થળોએ રેડિયેશન લીકેજના કોઈ સંકેત મળ્યા નથી.
ઈરાનના રાજ્ય મીડિયાએ દેશના રાષ્ટ્રીય પરમાણુ સુરક્ષા પ્રણાલી કેન્દ્રના એક નિવેદનને ટાંકીને અહેવાલ આપ્યો છે કે હુમલા પછી રેડિયેશન શોધ ઉપકરણોએ કોઈ રેડિયો એક્ટિવ ઉત્સર્જન શોધી કાઢ્યું નથી. નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે “આ સ્થળોની આસપાસ રહેતા લોકો માટે કોઈ ખતરો નથી.”
આ પણ વાંચો, પહેલગામ એટેક: 2 મહિના બાદ આતંકવાદીઓને આશ્રય આપનાર 2 આરોપીઓની ધરપકડ
