Monsoon entry in Gujarat: ચોમાસું ક્યાં અને કેમ અટક્યું? જાણો ગુજરાતમાં ક્યારે મોનસૂનની થશે ધમાકેદાર એન્ટ્રી?

ભારતીય હવામાન વિભાગે ચોમાસામાં વિલંબનું કારણ આપ્યું છે. IMD એ વરસાદ અંગે એક મોટી અપડેટ આપી છે, જે ખેડૂતો માટે સારા સમાચાર છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ હવે દેશના મોટાભાગના ભાગોમાં ચોમાસામાં વિલંબ કેમ થઈ રહ્યો છે તે અંગે એક નવી અપડેટ આપી છે. 24મેએ કેરળમા ચોમાસું પહોંચી ગયા બાદ ફરી 26 મે સુધીમાં પહોંચી ગયું હતું. અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના કારણે મહારાષ્ટ્રમાં વહેલુ ચામાસાએ દસ્તક દીધી છે જો કે આ સિસ્ટમ વિખેરાઇ જતાં ચોમાસાની ગતિ પણ ધીમી પડી ગઇ અને તે મહારાષ્ટ્રમાં જ થંભી ગયું, હાલ કોઇ એવી સિસ્ટમ સક્રિય ન હોવાથી ચોમાસાને ગતિ નથી મળી રહી. હવામાન વિભાગના નિષ્ણાત મુજબ 12 કે 13 જૂન બાદ બંગાળની ખાડીમાં સિસ્ટમન સર્જાતા ચોમાસ ફરી એક્ટિવ થાય તેવી ધારણા છે. જેના પગલે 13 જૂન બાદ ગુજરાતમાં ચોમાસુ દસ્તક દે તેવી શકયા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમ બની રહી નથી, જેના કારણે ચોમાસાના આગમનમાં વિલંબ થઈ રહ્યો છે. ચોમાસામાં વિલંબને કારણે ખેડૂતોની ખેતી પર અસર પડી રહી છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) એ કહ્યું છે કે, દક્ષિણપશ્ચિમ ચોમાસું 12 થી 18 જૂનની વચ્ચે શરૂ થઈ શકે છે. IMD ના એક અધિકારીએ જણાવ્યું હતું કે 12-13 જૂનના રોજ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની શકે છે. જોકે, વિવિધ મોડેલોને કારણે હજુ પણ કેટલીક અનિશ્ચિતતાઓ છે. કેટલાક નિષ્ણાત સિસ્ટમ બનવા માટે આશાવાદી છે તો કેટલાક નથી.

 IMD મધ્ય ભારત, મહારાષ્ટ્રના કેટલાક ભાગો અને દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં (જ્યાં ચોમાસુ પહેલેથી જ આવી ગયું છે) સારા વરસાદની અપેક્ષા રાખે છે. ચોમાસાની ધીમી પ્રગતિને કારણે દુષ્કાળનો સામનો કરી રહેલા વિસ્તારો માટે આ આગાહી આશાનું કિરણ લઈને આવી છે.

IMD અધિકારીના જણાવ્યા અનુસાર, પશ્ચિમી પવનોના મજબૂત થવાને કારણે અને પશ્ચિમ કિનારા પર ઓફ-શોર ટ્રફ બનવાની શક્યતાને કારણે, દક્ષિણ દ્વીપકલ્પ અને નજીકના મધ્ય ભારતના ઘણા ભાગોમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે વ્યાપકથી ખૂબ જ વ્યાપક વરસાદની સંભાવના છે.

જોકે, ખાનગી હવામાન આગાહી એજન્સી સ્કાયમેટ વેધર સર્વિસીસે બંગાળની ખાડીમાં ચોમાસાની સિસ્ટમ બનવાની શક્યતા વધુ હોવાનું અનુમાન લગાવ્યું છે. સ્કાયમેટના ચેરમેન જી.પી. શર્માએ જણાવ્યું હતું કે, 10 જૂન સુધીમાં પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીમાં એક પૂર્વવર્તી ચક્રવાતી પરિભ્રમણ વિકસિત થવાની ધારણા છે. આ સિસ્ટમ 11 જૂનથી દરિયાકાંઠે મોનસૂન  એક્ટિવિટી શરૂ કરે તેવી શક્યતા છે. આ હવામાન સિસ્ટમ તેના સામાન્ય માર્ગથી થોડી દક્ષિણ તરફ આગળ વધીને આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને મહારાષ્ટ્રમાંથી પસાર થઈ શકે છે. સ્કાયમેટે આગાહી કરી છે કે ચોમાસાના ફરી આગળ વધવાની ધારણા 12 થી 17 જૂન સુધી રહેશે, જે દક્ષિણ દ્વીપકલ્પ ભારતના મોટાભાગના વિસ્તારોને આવરી લેશે. ગુજરાતમાં પણ ચોમાસું 12 કે 13 જૂન બાદ દસ્તક દે તેવી શક્યતા છે.

આ પણ વાંચો, Elon Musk: એલોન મસ્કની ભારતીય ટેલીકોમ સેક્ટરમાં એન્ટ્રી, Starlinkને કેન્દ્ર સરકાર દ્વારા મળ્યું લાઇસન્સ!

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *