ટ્રમ્પે 29 વખત યુદ્ધવિરામનો દાવો કર્યો, જો PM મોદીમાં હિંમત હોય તો…: Rahul Gandhi

Rahul Gandhi: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ઓપરેશન સિંદૂર પર ચર્ચામાં ભાગ લેતી વખતે સરકાર પર જોરદાર પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર કહી રહ્યા છે કે તેમણે યુદ્ધવિરામ કરાવ્યો. તેમણે આ વાત 29 વાર કહી છે. વડા પ્રધાન મોદીએ કહેવું જોઈએ કે ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે.
રાહુલ ગાંધીએ કહ્યું સરકારે પાઇલટ્સના હાથ બાંધી દીધા. વાયુસેનાને છૂટ આપવામાં આવી ન હતી. ભારતે કેટલાક જેટ ગુમાવ્યા. તે સેનાની ભૂલ નહોતી તે સરકારની ભૂલ હતી. પાકિસ્તાનના વાયુસેના પર હુમલો કેમ રોકાયો? સીડીએસે સ્વીકાર્યું કે શરૂઆતમાં ભૂલ થઈ હતી. વાયુસેનાને દોષ આપવો ખોટું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે અમારા જેટ પડ્યા નથી વડા પ્રધાને આટલું કહેવું જોઈએ.
જો નરેન્દ્ર મોદીમાં ઇન્દિરા ગાંધીની હિંમતના 50% પણ છે તો…
રાહુલ ગાંધીએ કહ્યું વડા પ્રધાન મોદી પોતાની છબી માટે સુરક્ષા દળોનો ઉપયોગ કરે છે આ દેશ માટે ખૂબ જ ખતરનાક છે. ગઈકાલે સરકારે ચીન વિશે કંઈ કહ્યું ન હતું. જો નરેન્દ્ર મોદીમાં ઇન્દિરા ગાંધી જેટલી હિંમત ૫૦% પણ હોય તો તેમણે ગૃહમાં કહેવું જોઈએ કે ટ્રમ્પ યુદ્ધવિરામ અંગે ખોટું બોલી રહ્યા છે.
ખરેખર આપણે પાકિસ્તાન અને ચીન બંને સામે લડી રહ્યા હતા
રાહુલ ગાંધીએ કહ્યું વડા પ્રધાને રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખવું જોઈએ અને સેના તમારી છબી બનાવવા માટે નથી. મેં કહ્યું હતું કે પાકિસ્તાન અને ચીનને અલગ રાખો. આ સરકારની વિદેશ નીતિ નિષ્ફળ ગઈ છે. વાસ્તવિક લડાઈ ચીન સાથે હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે પહેલગામ હુમલા પાછળ મુનીરનો હાથ હતો. પાકિસ્તાન અને ચીન બંને સામેલ થયા. સરકારે વિચાર્યું કે આપણે પાકિસ્તાન સામે લડી રહ્યા છીએ. વાસ્તવમાં આપણે પાકિસ્તાન અને ચીન બંને સામે લડી રહ્યા છીએ.
રાહુલ ગાંધીએ કહ્યું પહેલગામ આતંકવાદી હુમલા પાછળનો માણસ પાકિસ્તાનના જનરલ અસીમ મુનીર છે. તાજેતરમાં મુનીરે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે લંચ કર્યું હતું. પીએમ મોદીએ આ અંગે કંઈ કહ્યું નહીં. તેમણે કહ્યું નહીં કે ટ્રમ્પે તેમને તેમના કાર્યાલયમાં આમંત્રણ આપવાની હિંમત કેવી રીતે કરી?
આ પણ વાંચો, ‘પાકિસ્તાને ફોન કરીને વિનંતી કરી, કૃપા કરીને હવે વધુ હત્યા ન કરો’, ઓપરેશન સિંદૂર પર PM મોદીનો સંસદમાં હુંકાર