પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે યોજાશે, મંત્રીઓ જિલ્લામાં કરશે ધ્વજ વંદન, જુઓ કોણ ક્યાં?

રાષ્ટ્રના 76માં પ્રજાસત્તાક પર્વ-26મી જાન્યુઆરી-2025ની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે થશે. તા.26મી જાન્યુઆરીના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ધ્વજ વંદન સમારોહ યોજાશે. આ ઉપરાંત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને સાબરકાંઠા ખાતે, વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહીરના અધ્યક્ષ સ્થાને પંચમહાલ ખાતે તથા રાજ્ય મંત્રી મંડળના સભ્યો અને જિલ્લા કલેકટરઓના અધ્યક્ષ સ્થાને વિવિધ જિલ્લા મથકોએ પણ ધ્વજ વંદન સમારોહ યોજાશે.

કેબિનેટ મંત્રીઓ

રાજ્ય કક્ષાના મંત્રીઓ

હર્ષ સંઘવી – ગાંધીનગર

જગદીશ વિશ્વકર્મા – ખેડા

પરશોત્તમભાઈ સોલંકી – ગીર સોમનાથ

બચુભાઈ ખાબડ – દાહોદ

મુકેશભાઈ પટેલ – નવસારી

પ્રફુલ પાનશેરીયા – સુરત

ભીખુસિંહજી પરમાર – છોટા ઉદેપુર

કુંવરજીભાઈ હળપતિ – ભરૂચઆ ઉપરાંત સુરેન્દ્રનગર, આણંદ, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, કચ્છ, વડોદરા, નર્મદા, મહીસાગર, ડાંગ, પાટણ, દેવભૂમિ દ્વારકા, અરવલ્લી અને મોરબી ખાતે સંબંધિત જિલ્લાના કલેકટરના હસ્તે ધ્વજ વંદન સમારોહ યોજાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *