આખરે આયર્લેન્ડ-ઇંગ્લેન્ડ ટૂર માટે ટીમ ઈન્ડિયાનું એલાન, જુઓ પ્લેયર્સ લિસ્ટ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની આગામી ટી20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી છે. આ વખતે ટીમમાં કેટલાક મોટા ફેરફારો જોવા મળ્યા છે. શ્રેયસ અય્યરને ટી20 ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે તિલક વર્માને ઉપ-કપ્તાનની જવાબદારી સોંપવામાં આવી છે.
સૌથી મોટી ચર્ચાનો વિષય સૂર્યકુમાર યાદવ રહ્યા, જેમને માત્ર કેપ્ટનશીપમાંથી જ નહીં પરંતુ આખી ટીમમાંથી બહાર રાખવામાં આવ્યા છે. બીજી તરફ IPL 2026માં શાનદાર પ્રદર્શન કરનાર યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીને પ્રથમ વખત ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે.
ટીમમાં સંજુ સેમસન, ઈશાન કિશન, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ અને જસપ્રિત બુમરાહ જેવા અનુભવી ખેલાડીઓને પણ તક આપવામાં આવી છે. યુવા અને અનુભવી ખેલાડીઓના મિશ્રણ સાથે ટીમ મેનેજમેન્ટે આગામી ટી20 અભિયાન માટે નવી દિશા પસંદ કરી છે.
આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ ટી20 શ્રેણી માટે ભારતીય ટીમ
શ્રેયસ અય્યર (કેપ્ટન)
તિલક વર્મા (ઉપ-કપ્તાન)
સંજુ સેમસન
ઈશાન કિશન
શિવમ દુબે
નીતિશ રેડ્ડી
અક્ષર પટેલ
વોશિંગ્ટન સુંદર
વરુણ ચક્રવર્તી
રવિ બિશ્નોઈ
હર્ષિત રાણા
અર્શદીપ સિંહ
વૈભવ સૂર્યવંશી
જસપ્રિત બુમરાહ
પ્રિન્સ યાદવ
મોહમ્મદ સિરાજ
વૈભવ સૂર્યવંશીની પસંદગી અને સૂર્યકુમાર યાદવની ગેરહાજરીએ આ ટીમ પસંદગીને વધુ ચર્ચાસ્પદ બનાવી છે. હવે ચાહકોની નજર આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામેના પ્રદર્શન પર રહેશે.