National

અયોધ્યા રામમંદિર નજીક દેખાયું શંકાસ્પદ ડ્રોન, મચ્યો હડકંપ

ઉત્તર પ્રદેશના અયોધ્યાથી મોટા સમાચાર આવ્યા હતા. જેમાં રામ મંદિર પરિવારમાં ભારે ભીડ વચ્ચે અચાનક એક ડ્રોન પડી ગયું. આ ઘટના સોમવારે સાંજે બની હતી. જ્યારે મહાકુંભથી રામ મંદિરના દર્શન માટે આવેલી ભીડ કતારમાં ઉભી હતી, ત્યારે અચાનક એક ડ્રોન તેમની વચ્ચે પડી ગયું. આનાથી ત્યાં ખળભળાટ મચી ગયો. મંદિર પરિસરમાં હાજર પોલીસે તાત્કાલિક ડ્રોનને કબજે કરી લીધું. એવું માનવામાં આવે છે કે કોઈએ લોકોમાં નાસભાગ મચાવવાના ઈરાદાથી આ બધું કર્યું છે. પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

પોલીસે જણાવ્યું કે સોમવારે સાંજે 7 વાગ્યે મંદિર પરિસરમાં ભક્તો કતારમાં ઉભા હતા. તે સમયે ખૂબ જ ભીડ હતી. કારણ કે મહાકુંભને કારણે ઘણા ભક્તો અયોધ્યા અને કાશી પણ પહોંચી રહ્યા છે. પછી કોઈએ ભીડ પર ડ્રોન ફેંક્યું હતું. આ નાસભાગ મચાવવાનો પ્રયાસ પણ હોઈ શકે છે, જેને પોલીસે નિષ્ફળ બનાવ્યો. પોલીસ આ મામલાની ઝીણવટભરી તપાસ કરી રહી છે. જેણે પણ આ કૃત્ય કર્યું છે તેની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button