
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની શરૂઆત 22 માર્ચથી થવા જઈ રહી છે. આ સમયગાળા દરમિયાન કુલ 13 સ્થળોએ 74 મેચ રમાશે. પરંતુ આ પહેલા આરોગ્ય મંત્રાલયે આઇપીએલ ચેરમેનને પત્ર લખ્યો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા આઇપીએલ ચેરમેનને લખેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે IPL મેચો દરમિયાન તમાકુ અને દારૂની જાહેરાતો બતાવવામાં ન આવે.
પત્રમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં કેન્સર, ફેફસાના રોગ, ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર જેવા રોગો ઝડપથી વધી રહ્યા છે. આ બિન-ચેપી રોગોમાં વધારો થવાના મુખ્ય કારણો તમાકુ અને દારૂ છે. તમાકુથી થતા મૃત્યુની બાબતમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે. અહીં દર વર્ષે દારૂના કારણે લગભગ 14 લાખ મૃત્યુ થાય છે.
આ વર્ષે આઇપીએલ 22 માર્ચથી શરૂ થઈ રહી છે. આ દેશમાં જોવામાં આવતી સૌથી મોટી રમતગમતની ઇવેન્ટ છે. આ પ્લેટફોર્મ દ્વારા તમાકુ અને દારૂનો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે પ્રચાર કરવામાં આવે છે. આવી સ્થિતિમાં આઇપીએલએ સ્ટેડિયમ પરિસરની અંદર અને બહાર તમાકુ અને દારૂની જાહેરાતોના પ્રદર્શન પર સખત પ્રતિબંધ મૂકવો જોઈએ. આ જાહેરાતો ફક્ત આઇપીએલ સ્ટેડિયમમાં જ નહીં પરંતુ ટેલિવિઝન પ્રસારણ દરમિયાન પણ પ્રતિબંધિત થવી જોઈએ. પત્રમાં કહેવામાં આવ્યું છે કે IPL સંબંધિત ઇવેન્ટ્સ દરમિયાન તમાકુ અને આલ્કોહોલ ઉત્પાદનોના વેચાણ પર પણ પ્રતિબંધ મૂકવો જોઈએ.
IPL 2025 સીઝન 22 માર્ચથી શરૂ થશે. એટલે કે ટુર્નામેન્ટની શરૂઆતની મેચ આ દિવસે રમાશે. જ્યારે ફાઇનલ મેચ 25 મેના યોજાશે. આ વખતે ટુર્નામેન્ટના પ્લેઓફ મેચો હૈદરાબાદ અને કોલકાતામાં યોજાશે. ક્વોલિફાયર-2 અને ફાઇનલ મેચ પણ આ મેદાન પર રમાશે. જ્યારે ક્વોલિફાયર-1 અને એલિમિનેટર મેચ હૈદરાબાદમાં યોજાશે.
આ પણ વાંચો, Rajkot: ગોંડલના યુવાન રાજકુમાર જાટની હત્યા? કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ CBI તપાસની માગ કરી
