નેપાળમાં ફરી તબાહીના એંધાણ! ચીનની ચેતવણી બાદ વણસી સ્થિતિ, મૃત્યુઆંક ૪૦૦ને પાર

નેપાળ (Nepal)માં આ અઠવાડિયે આવેલા ભયાનક પૂર (Flood) અને અચાનક આવેલા જળપ્રલય (Flash Flood) બાદ સ્થિતિ હજુ પણ ગંભીર છે. આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં લગભગ 400 લોકોનાં મોત થયા હોવાના અહેવાલ છે, જ્યારે 1,400થી વધુ લોકો હજુ પણ લાપતા (Missing) હોવાનું સામે આવ્યું છે. આ દરમિયાન ચીન (China) અને નેપાળે આગામી દિવસોમાં ફરી પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાવાની ચેતવણી આપી છે.

નેપાળ-ચીન સરહદ (Nepal-China Border) નજીક નદીના પ્રવાહમાં મलबો અને ભૂસ્ખલન (Landslide)ના કારણે અવરોધ ઊભો થયો છે. તેના કારણે પાણી એકઠું થઈને નવી તળાવ જેવી સ્થિતિ સર્જાઈ છે. જો આ પાણીનો દબાણ વધશે અને કુદરતી અવરોધ તૂટશે તો અચાનક ફરી પૂર આવી શકે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આવી સ્થિતિમાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો માટે મોટું જોખમ ઊભું થઈ શકે છે.

નેપાળની આપત્તિ વ્યવસ્થાપન એજન્સી (Disaster Management Authority)એ લોકોને નદીના કિનારા અને જોખમી વિસ્તારોમાંથી દૂર રહેવાની સલાહ આપી છે. ખાસ કરીને સ્થાનિક રહેવાસીઓ, પ્રવાસીઓ (Tourists) અને રાહત-બચાવ કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓને સાવચેત રહેવા જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *