ગુજરાતમાં નવું ઘર ખરીદનારાઓને RERA એ આપ્યો મોટો ઝટકો, બિલ્ડરોના હિતમાં બદલાયો નિયમ

ઘર ખરીદનારાઓ માટે મહત્વપૂર્ણ માહિતી અંગે એક મોટો બદલાવ કરાયો છે. એક વિવાદાસ્પદ નિર્ણયમાં, ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA) એ બિલ્ડરોને પ્રોજેક્ટ લોનની રકમ જાહેર કરવામાંથી મુક્તિ આપી છે. આ નિર્ણયને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પારદર્શિતા તરફ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA) એ હુકમ કર્યો કે, દરેક બાંધકામ સાઈટ પર ડેવલપર- બિલ્ડર દ્વારા પ્રોજેક્ટને લગતી તમામ માહિતીનું બેનર બોર્ડ QR કોડ સાથે લગાવવાનું રહેશે. જો કોઈપણ બિલ્ડર કે ડેવલોપર આ નિયમનું પાલન નહીં કરે તો તેને દંડ કરવામાં આવશે. આ નવો નિયમ આજે 1 ડિસેમ્બરથી લાગુ પડશે.
20 ડિસેમ્બર, 2025ના રોજ કરવામાં આવેલા સુધારા બાદ, સાઇટ પરના ફરજિયાત બોર્ડના નમૂનામાંથી પ્રોજેક્ટ લોનની રકમની યાદી આપવાની જરૂરિયાત સ્પષ્ટપણે દૂર કરવામાં આવી છે. નવા જાહેર કરાયેલા ઓર્ડર 112-A હેઠળ, ડેવલપર્સ માટે હવે ફરજિયાત ઓન-સાઇટ ઇન્ફોર્મેશન બોર્ડ પર પ્રોજેક્ટ લોનની ચોક્કસ રકમ મુખ્ય રીતે દર્શાવવી જરૂરી રહેશે નહીં. આથી, સંભવિત ખરીદદારો હવે પ્રમોટર દ્વારા લેવામાં આવેલી પ્રોજેક્ટ લોનની રકમ જાણી શકશે નહીં.
રેરાના આ નિયમથી ગ્રાહકોને ફાયદો થશે. તેમના ધરમધક્કા ઘટી જશે. નાગરિકોને સહેલાઈથી બાંધકામ સાઈટને લગતી માહિતી મળી રહેશે. આ ઉપરાંત ક્યુઆર કોડથી એક જ પ્લેટફોર્મ પર સાઈટને લગતી માહિતી અવેલેબલ રહેશે.