PM મોદી ફરી આવશે ગુજરાત, વડોદરામાં નેશનલ હાઈવે પાસે બનેલા સરદારધામનું લોકાર્પણ કરે તેવી શક્યતા

ગુજરાતમાં ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંભવિત પ્રવાસને લઈને રાજકીય અને વહીવટી હલચલ તેજ બની છે. મળતી માહિતી અનુસાર પ્રધાનમંત્રી મોદી આગામી 11 મેના રોજ વડોદરાની મુલાકાત લઈ શકે છે. આ મુલાકાત દરમિયાન તેઓ શહેરના નેશનલ હાઈવે નજીક નિર્માણ પામેલા ભવ્ય સરદારધામનું લોકાર્પણ કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ સંદર્ભમાં સ્થાનિક વહીવટીતંત્ર સજ્જ બની ગયું છે. સરદારધામ ખાતે તાજેતરમાં કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ મુલાકાત લઈને તૈયારીઓની સમીક્ષા કરી હોવાની માહિતી મળી રહી છે. સુરક્ષા વ્યવસ્થાઓ તેમજ કાર્યક્રમની વ્યવસ્થા અંગે પણ પ્રાથમિક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
સરદારધામ એક વિશાળ અને આધુનિક સુવિધાઓથી સજ્જ સંકુલ છે, જેનો અંદાજિત ખર્ચ 150 કરોડ રૂપિયા થયો છે. આ સંકુલમાં એકસાથે લગભગ 2000 દીકરા-દીકરીઓ રહેવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે અહીં આધુનિક ટ્રેનિંગ સેન્ટર પણ શરૂ કરવામાં આવશે, જેમાં UPSC જેવી પ્રતિષ્ઠિત પરીક્ષાઓ માટે માર્ગદર્શન આપવામાં આવશે.
જો પ્રધાનમંત્રીનો આ પ્રવાસ સત્તાવાર રીતે નિશ્ચિત થાય છે, તો વડોદરા શહેર માટે આ એક મહત્વપૂર્ણ પ્રસંગ સાબિત થશે. તંત્ર દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ જરૂરી તૈયારીઓ ઝડપથી આગળ વધારવામાં આવી રહી છે.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: http://અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચે શબનમનું કંકાલ શોધવા ખોદકામ શરુ કર્યું, 35 વર્ષ જૂની હત્યાનું રહસ્ય ખૂલશે