
PM મોદીએ શુક્રવારે સવારે 11 વાગ્યે જમ્મુમાં ચિનાબ નદી પર બનેલા વિશ્વના સૌથી ઊંચા રેલવે આર્ચ બ્રિજનું તિરંગો લહેરાવીને ઉદ્ઘાટન કર્યું. PM અહીં લગભગ એક કલાક રોકાયા. આ દરમિયાન તેઓ રેલવે અધિકારીઓ અને બ્રિજ બાંધકામ કામદારોને મળ્યા.
તેઓ એન્જિનમાં બેસીને ચિનાબ આર્ચ બ્રિજથી કેબલ સ્ટે અંજી બ્રિજ પર પહોંચ્યા. અહીં તેમણે અંજી બ્રિજનું પણ ઉદ્ઘાટન કર્યું.
આ પછી, PM કટરા રેલવે સ્ટેશન પહોંચશે અને કાશ્મીરને દેશના બાકીના ભાગ સાથે જોડતી કટરા-શ્રીનગર વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. આ ઉપરાંત, તેઓ 46 હજાર કરોડ રૂપિયાથી વધુના અન્ય વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. તેઓ કટરા સ્ટેડિયમમાં જાહેર સભા પણ કરશે.
આ પણ વાંચો, Ahmedabad: ACP પ્રદિપસિંહ જાડેજાની DCP તરીકે બઢતી, કમિશનરે ટાઈટલ સોલ્ડર લગાડી સન્માન કર્યું
